Site icon Revoi.in

અમદાવાદમાં સમસ્ત પાટિદાર સમાજનું યુવા બિઝનેસ મહાસંમેલન યોજાશે

Social Share

અમદાવાદઃ  શહેરમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યુવા બિઝનેસ મહાસંમેલન યોજાશે, આ મહાસંમેલન 28 ડિસેમ્બરે અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાશે. પાટીદાર સમાજના યુવાનોને ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાના હેતુથી આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે.

અમદાવાદના આંગણે ઉમિયાધામ ખાતે યોજાનારા આ યુવા બિઝનેસ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. 28 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે અમિત શાહની ઉપસ્થિતિમાં મહાસંમેલનનું મુખ્ય સત્ર યોજાશે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પાટીદાર સમાજના અનેક મંત્રીઓ અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.

મહાસંમેલનના આયોજકોના કહેવા મુજબ પાટિદાર યુવા બિઝનેસ મહા સંમેલનમાં અમેરિકા સહિત કુલ 7 દેશમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન ભાગ લેશે. અંદાજે 20 હજારથી વધુ યુવા બિઝનેસમેન આ મહાસંમેલનમાં જોડાશે, જે તેને એક વિશાળ અને ઐતિહાસિક કાર્યક્રમ બનાવશે. વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાનારા આ યુવા બિઝનેસ મહાસંમેલનથી પાટીદાર સમાજના યુવાનોને વૈશ્વિક સ્તરે વ્યવસાયની નવી દિશાઓ અંગે માર્ગદર્શન મળશે.

 

Exit mobile version