1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટર કેસઃ ઉત્તરપ્રદેશ પોલીસને તપાસ પંચે આપી ક્લિનચીટ

ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટર કેસઃ ઉત્તરપ્રદેશ પોલીસને તપાસ પંચે આપી ક્લિનચીટ

0
Social Share

દિલ્હીઃ કાનપુરના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેને પોલીસે એન્ટાઉન્ટરમાં ઠાર માર્યો હતો. એન્કાઉન્ટર બોગસ હોવાના આક્ષેપ થયેલી અરજીને પગલે કોર્ટે તપાસ માટે જસ્ટીસ બી.એસ.ચૌહાણના અધ્યક્ષ સ્થાને પંચની નિમણુંક કરવામાં આવી હતી. જસ્ટિસ બી.એસ.ચૌહાણ કમિશને તપાસના અંતે અહેવાલમાં યુપી પોલીસને ક્લિનચીટ આપવામાં આવી છે. તપાસમાં યુપી પોલીસ દ્વારા બનાવટી એન્કાઉન્ટર વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની તપાસ માટે જસ્ટિસ બી.એસ.ચૌહાણ કમિશનની રચના કરવામાં આવી હતી.  અહેવાલમાં આ કેસમાં યુપી પોલીસને ક્લિનચીટ આપવામાં આવી છે. જેમાં અલ્હાબાદના એચસી ન્યાયાધીશ શશિકાંત અગ્રવાલ અને પૂર્વ ડીજીપી કેએલ ગુપ્તાનો સમાવેશ થાય છે. સ્વતંત્ર સાક્ષીઓની આઠ મહિનાની તપાસ બાદ કમિશને યુપી સરકારને પોતાનો અહેવાલ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ પંચને રાજ્ય પોલીસ દ્વારા ગેરરીતિના કોઈ પુરાવા મળ્યા નથી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોઈ સાક્ષી પોલીસના દાવાઓને પડકારવા આગળ આવ્યા નહોતા. પોલીસ વિગતોને સમર્થન આપનારા સાક્ષીઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 3 જુલાઈએ કાનપુરના બીકરુ ગામમાં વિકાસ દુબે અને તેના સાથીઓએ ડીએસપી સહિત 8 પોલીસકર્મીની હત્યા કરી હતી. જે બાદ દુબેને 10 મી જુલાઈએ ઉજ્જૈનથી પરત લાવતાં પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો, પરંતુ તેને નકલી એન્કાઉન્ટર ગણાવીને સુપ્રીમ કોર્ટમાં 6 પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. તપાસ બાદ ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં યુપી પોલીસ સામે પુરાવા ન હોવા પર યુપી પોલીસને ક્લિનચીટ આપવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code