Site icon Revoi.in

શાંતિ મંત્રણાનો ત્રીજો રાઉન્ડમાં યુક્રેન અને રશિયા કેદીઓની આપ-લે કરવા સંમત

Social Share

યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે ગઈકાલે ઈસ્તંબુલમાં યોજાયેલી શાંતિ મંત્રણાના ત્રીજા રાઉન્ડમાં બંને પક્ષો 1200 થી વધુ કેદીઓની આપ-લે કરવા સંમત થયા છે. આ બેઠકને યુદ્ધનો અંત લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

યુક્રેનની રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ પરિષદના સચિવ રૂસ્તમ ઉમેરોવે મંત્રણા દરમિયાન એક મોટો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ઓગસ્ટના અંત સુધીમાં રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શિખર સંમેલન યોજવાની ભલામણ કરી છે.

આ બેઠકમાં તુર્કીના વિદેશ પ્રધાન હકાન ફિદાને બંને પક્ષોને અગાઉની વાતચીતના આધારે શાંતિ મંત્રણામાં પ્રગતિ કરવા અને શક્ય તેટલી વહેલી તકે યુદ્ધનો અંત લાવવા વિનંતી કરી હતી.

રશિયન પ્રતિનિધિમંડળના અધ્યક્ષ અને રાષ્ટ્રપતિ પુતિનના સાથી મેડિન્સ્કીએ જણાવ્યું હતું કે, રશિયા ત્રણ ટાસ્ક ફોર્સ બનાવી રહ્યું છે જે ઓનલાઈન માધ્યમથી રાજકીય, લશ્કરી અને માનવતાવાદી મુદ્દાઓનું નિરાકરણ લાવવા પર કામ કરશે. આ વિકાસ દર્શાવે છે કે બંને પક્ષો શાંતિ માટે ગંભીર પ્રયાસો કરી રહ્યા છે.