1. Home
  2. ગુજરાતી
  3. યુક્રેન તરફથી લડતા 180 સૈનિકોને ઠાર કરવામાં આવ્યા:રશિયાનો દાવો
યુક્રેન તરફથી લડતા 180 સૈનિકોને ઠાર કરવામાં આવ્યા:રશિયાનો દાવો

યુક્રેન તરફથી લડતા 180 સૈનિકોને ઠાર કરવામાં આવ્યા:રશિયાનો દાવો

0
Social Share
  • યુક્રેન રશિયા વિવાદ
  • રશિયાએ કર્યો દાવો
  • 180 વિદેશી સૈનિકોને કર્યા ઠાર

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં બંન્ને દેશો દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. યુક્રેન દ્વારા મોટા દાવા કરવામાં આવે છે ત્યારે રશિયા દ્વારા પણ દાવો કરવામાં આવ્યો કે તેમણે યુક્રેન તરફથી લડતા 180 જેટલા વિદેશી સૈનિકોને ઠાર કર્યા છે.

યુક્રેનના અધિકારીએ જણાવ્યું હતું કે,રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 18મો દિવસ છે ન તો રશિયન સેના પીછેહઠ કરી રહી છે અને ન તો યુક્રેનિયન સૈનિકો હાર માની લેવા તૈયાર છે. તે જ સમયે, રવિવારે રશિયાએ નાટો સભ્ય પોલેન્ડને અડીને આવેલા યુક્રેનની પશ્ચિમી સરહદ પર એક સૈન્ય તાલીમ મથક પર મિસાઈલ છોડી હતી, જેમાં 35 લોકો માર્યા ગયા હતા.

જો કે રશિયાએ એવો પણ દાવો કર્યો છે કે તેણે પશ્ચિમ યુક્રેનમાં યાવોરીવ લશ્કરી તાલીમ બેઝ પરના હુમલામાં 180 “વિદેશી ભાડૂતી સૈનિકો”ને માર્યા છે. રશિયન સરકારે કહ્યું કે તે યુક્રેનમાં વિદેશી નાગરિકોની હત્યા કરવાનું ચાલુ રાખશે.

રશિયાના 18-દિવસના આક્રમણમાં યાવોરીવની નજીકનું પ્રશિક્ષણ આધાર સૌથી દૂરનું પશ્ચિમી લક્ષ્ય છે. તે ઇન્ટરનેશનલ પીસ ફોર્સ એન્ડ સિક્યુરિટી સેન્ટર તરીકે ઓળખાય છે, જેનો ઉપયોગ યુક્રેનિયન સૈનિકોને તાલીમ આપવા માટે કરવામાં આવે છે. ટ્રેનર્સ અમેરિકા અને નાટો દેશોના છે.

લ્વિવના ગવર્નર મેક્સિમ કોઝિત્સ્કીએ જણાવ્યું હતું કે રવિવારે છોડવામાં આવેલી મોટાભાગની મિસાઇલો “હવાઈ સંરક્ષણ પ્રણાલી કામ કરતી હોવાથી તેને નીચે પાડી દેવામાં આવી હતી.” તેમણે કહ્યું કે હુમલામાં ઓછામાં ઓછા 35 લોકો માર્યા ગયા અને 134 ઘાયલ થયા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code