1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરાખંડમાં ચોમાસાની શરુઆતમાં જ વરસાદનો કહેર, ભૂસ્ખલનની ધટનામાં 2ના મોત
ઉત્તરાખંડમાં ચોમાસાની શરુઆતમાં જ વરસાદનો કહેર, ભૂસ્ખલનની ધટનામાં 2ના મોત

ઉત્તરાખંડમાં ચોમાસાની શરુઆતમાં જ વરસાદનો કહેર, ભૂસ્ખલનની ધટનામાં 2ના મોત

0
Social Share
  • ઉત્તરાખંડમાં વરસાદની તબાહિ શરુ
  • આરંભના વરસાદથી ભૂ્ખલનની ઘટનાો સામે આવી

દહેરાદૂનઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ચોમાસાનું આગમન થી ચૂક્યું છે હવામાન વિભાગ દ્રારા કેટલાક રાજ્યો માટે યલો એલર્ટ જારી કરવામાં યઆવ્યું છે ત્યારે વિતેલા દિવસથી ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે   ભારે વરસાદથી ભૂસ્ખલન જેવી  ઘટનાઓમાં રવિવારે બે લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાજ્યભરમાં વરસાદની સ્થિતિનો તાગ મેળવવા સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત પણ લીધી હતી.

 એક ઘટનામાં ટ્રાન્સપ્લાન્ટિંગમાં રોકાયેલા એક યુવકનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. ઉત્તરકાશી જિલ્લાના પુરોલા તહસીલના કંદિયાલ ગામમાં વીજળી પડવાને કારણે આ અકસ્માત થયો હતો.  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી મળેલી માહિતી મુજબ ઘાયલ ત્રણ પૈકી બે યુવકોની હાલત ગંભીર જણાઈ રહી  છે. 

ખાસ કરીને વાત કરવામાં આવે રૂદ્રપ્રયાગ જિલ્લાની તો અહીં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું હતું. કાટમાળ નીચે દબાઈ જતાં વાહનમાં સવારનું મોત થયું હતું. પોઆ અકસ્માત સોનપ્રયાગ પાસે શટલ બ્રિજથી લગભગ એક કિલોમીટર પહેલા ગૌરીકુંડ જતા મોટરવે પર થયો હતો. ટેકરી પરથી અચાનક ભૂસ્ખલન થતાં વાહનમાં બેઠેલા વ્યક્તિ કચડાઈ જતા ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો

રૂદ્રપ્રયાગ જિલ્લાના  50 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. માહિતી મળતાં જ રાહત અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી અને વાહનમાં બેઠેલા અનિલ બિષ્ટને કાટમાળમાંથી બહાર કાઢીને સોનપ્રયાગની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેને મૃત જાહેર કર્યા. કાટમાળ હટાવ્યા બાદ આ વિસ્તારમાં પાર્ક કરાયેલા અન્ય વાહનોને સાવચેતીના પગલા તરીકે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code