1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં 23 પુસ્તકોનું વિમોચન થશે
અમદાવાદમાં 23 પુસ્તકોનું વિમોચન થશે

અમદાવાદમાં 23 પુસ્તકોનું વિમોચન થશે

0
Social Share

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ સ્થિત અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોલમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવળ ઈતિહાસને ઉજાગર કરતા 23 પુસ્તકોનો ભવ્ય વિમોચન સમારોહ અને સાહિત્યપર્વની ઉજવણી કરવામાં આવશે.

અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલમાં સાંજના 6 કલાકે આયોજીત આ કાર્યક્રમમાં વિશેષ અતિથી પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાં, રક્ષા શુકલ, લલિત ખંભાયતા, હર્ષ મેસવાણિયા, નિરાલી બદિયાણા, પરીક્ષિત જોશી, કાશ્યપી મહા, જયવંત પંડ્યા, હરદ્રાર ગોસ્વામી, ધનંજય રાવલ, સુરેશ શ્રોફ, દિવ્યેશ વ્યાસ, પ્રદીપ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાં, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્રા ડો. જયેન્દ્રસિંહ જાદવ પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન રાજ ભાસ્કર કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code