1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેશોદ નજીક નવસારીના પરિવારની કારને નડ્યો અકસ્માતઃ 3 વ્યક્તિના મોત
કેશોદ નજીક નવસારીના પરિવારની કારને નડ્યો અકસ્માતઃ 3 વ્યક્તિના મોત

કેશોદ નજીક નવસારીના પરિવારની કારને નડ્યો અકસ્માતઃ 3 વ્યક્તિના મોત

0
Social Share

અમદાવાદઃ જૂનાગઢના કેશોદ નજીક પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગી હતી. આ દૂર્ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓના અવસાન થયા હતા. નવસારીનો પરિવાર દર્શન કરવા માટે સોમનાથ જઈ રહ્યો હતો. દરમિયાન માર્ગમાં આ અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓ ઘાયલ થયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીનો પરિવાર મોટરકાર લઈને સોમનાથ દર્શન કરવા જઈ રહ્યો હતો. તેમની મોટરકાર કેશોદની મંગપુર ચોકડી પાસેથી પસાર થતી હતી, દરમિયાન પૂરઝડપે પસાર થતા કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં પિતા-પુત્ર અને કારના ચાલકનું મોત થયું હતું. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી.

અકસ્માતના પગલે કારમાં સવાર પરિવારની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ બનાવની જાણ થતા રાહદારીઓ અને આસપાસ દુકાન ધરાવતા વેપારીઓ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. આ અકસ્માતની જાણ થતા પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. તેમજ મૃતકોની ઓળખ મેળવવાની કવાયત આરંભી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code