Site icon Revoi.in

છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં 31 માઓવાદીઓ માર્યા ગયા

Social Share

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 31 માઓવાદીઓ માર્યા ગયા છે. ગોળીબારમાં બે સુરક્ષા કર્મચારીઓ પણ માર્યા ગયા છે અને બે અન્ય ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બધા માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.

બીજાપુર જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાનના જંગલોમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની એક સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશનમાં હતી. આજે સવારથી સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર ચાલુ છે. ઘટનાસ્થળેથી 1 માઓવાદીનો મૃતદેહ મળી આવ્યો છે. વિસ્તારમાં મોટા પ્રમાણમાં સુરક્ષાદળોને મોકલવામાં આવ્યા. ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

Exit mobile version