1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કોરોનાના 4213  કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1835  કેસ
ગુજરાતમાં કોરોનાના 4213  કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1835  કેસ

ગુજરાતમાં કોરોનાના 4213  કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1835  કેસ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે ગુરૂવારે રાજ્યમાં કોરોનાના 3350  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1835  કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે એકનું મોત નિપજ્યુ હતુ. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્ય સરકારે કોરોનાના વધતા જતાં કેસને લીધે વાઈબ્રન્ટ સમિટ, અમદાવાદનો ફ્લાવર શો, તેમજ રાજ્યના મહાનગરોમાં યોજાનારો પતંગોત્સવનો કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યો છે. કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તમામ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના સ્પેશ્યલ વોર્ડ શરૂ કરવા, જરૂરી દવાઓ તેમજ ઓક્સિજનની વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી છે. તેમજ આરોગ્. વિભાગના કર્મચારીઓની રજાઓ પણ રદકરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે. આજે ગુરૂવારે રાજ્યમાં 4213  કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1835  નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં રોકેટગતિએ વધી રહેલા કોરોના કેસમાં એક નવું તથ્ય બહાર આવ્યું છે કે દર ત્રીજા દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. રસપ્રદ છે કે ગત માર્ચ-એપ્રિલ 2021માં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ રીતે જોઈએ તો 24 ડિસેમ્બરે ગુજરાતમાં કોરોના પોઝિટિવના નવા 98 કેસ નોંધાયા હતા. આ આંકડો 26મીએ તેના ડબલ જેટલો વધી 177, 28મીએ તેના ડબલ થઈ 394 અને 30મીએ 573 તેના ડબલ જેટલો વધીને 1 જાન્યુઆરીએ 1069 થયો હતો. જોકે, હવે ડબલ થવાની ગતિ ધીરી પડી છે અને નજીવો વધારો થયો છે અને 1259 નવા કેસ નોંધાયા છે. 5મી જાન્યુઆરીએ 3350 કેસ નોંધાયા હતા.જે આજે 6ઠ્ઠી જાન્યુઆરીએ 4213 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં કોરોનાના આજે 4213 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 1835 કેસ, સુરત શહેરમાં 1105 કેસ, વડોદરા શહેરમાં 103 કેસ, આણંદમાં 112 કેસ, કચ્છમાં 77 કેસ, રાજકોટ શહેરમાં 183 કેસ, ખેડામાં 66, કેસ  ભરૂચમાં 43 કેસ, અમદાવાદ જિલ્લામાં 27 કેસ, ગાંધીનગર શહેરમાં 59 કેસ, અને જિલ્લામાં 32, રાજકોટ જિલ્લામાં 41 કેસ, ભાવનગર શહેરમાં 38 કેસ અને જિલ્લામાં 2 કેસ, જામનગરમાં 30 કેસ, તેમજ સાબરકાંઠામાં 23, અને બનાસકાંઠામાં 12 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે તાપી  જિલ્લામાં-1 નું  મોત નિપજ્યુ હતુ. આજે બોટાદ,પાટણ અને ડાંગમાં એકપણ કેસ નોંધાયો નહતો.

રાજ્યમાં આજે રાહતના સમાચાર એ છે કે, ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નહતો.રાજ્યમાં અત્યાર ધીમાં ઓમિક્રોનના 204 કેસ નોંધાયા હતા, જેમાં 151 દર્દીઓ સાજા થી જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code