1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર જિલ્લામાં 44,100 હેકટરમાં ઉનાળું વાવણી, મગફળી બાજરીનું સૌથી વધુ વાવેતર
ભાવનગર જિલ્લામાં 44,100 હેકટરમાં ઉનાળું વાવણી, મગફળી બાજરીનું સૌથી વધુ વાવેતર

ભાવનગર જિલ્લામાં 44,100 હેકટરમાં ઉનાળું વાવણી, મગફળી બાજરીનું સૌથી વધુ વાવેતર

0
Social Share

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં સારા વરસાદ અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા ન સર્જાતા ખરીફ અને રવિપાકની સીઝનમાં ખેડુતોએ સારૂએવું ઉત્પાદન મેળવ્યું હતું. હવે રવિ સીઝન પૂર્ણ થતાં ખેડુતોએ ઉનાળું પાકની વાવણી શરૂ કરી છે. જેમાં આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 7,500 હેક્ટર થયું છે તે પૈકી 5,600 હેક્ટર વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે,  ભાવનગર જિલ્લામાં કુલ ઉનાળુ વાવેતર કૂલ 44,100 હેક્ટરમાં થયું છે. જેમાં ડુંગળી સાથે મગફળીનું વાવેતર પણ મુખ્ય છે. ઉપરાંત તલ અને બાજરીનું વાવેતર પણ નોંધપાત્ર પ્રમાણમાં થયું છે. આમ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લાઓમાં ઉનાળુ વાવેતરમાં 44,100 હેક્ટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે.

કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  સમગ્ર રાજ્યમાં ઉનાળુ મગફળીનું વાવેતર 34,600 હેક્ટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં 7,600 હેક્ટર વાવેતર ઉનાળું મગફળીનું થતા રાજ્યના કુલ વાવેતરના 21.97 ટકા વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે. આમ, ભાવનગર જિલ્લો આ વખતે ડુંગળીની સાથે ઉનાળુ મગફળીમાં પણ રાજ્યમાં વાવેતરમાં નંબર વન રહ્યો છે. ઉનાળુ વાવેતરમાં બાજરી અને તલનું વાવેતરમાં પણ ધીમી ગતિએ આગેકૂચ થઇ રહી છે. આમ ઉનાળુ વાવેતરમાં ભાવનગર જિલ્લો મગફળી અને ડુંગળીમાં પ્રથમ ક્રમે છે.

ભાવનગર જિલ્લામાં ઉનાળાની સીઝનમાં પણ બોર-કૂવામાં પાણી હોવાથી ખેડુતો ઉનાળું પાકની ખેતી માટે વધુ પ્રેરાયા છે.આ વખતે જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 7,500 હેક્ટર થયું છે તે પૈકી 5,600 હેક્ટર વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે. એટલે કે રાજ્યના કુલ વાવેતરના 74.67 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ભાવનગર જિલ્લામાં કુલ ઉનાળુ વાવેતર 44,100 હેક્ટરમાં થયું છે. જેમાં ડુંગળી સાથે મગફળીનું વાવેતર પણ મુખ્ય છે.  તલ અને બાજરીનું વાવેતર પણ નોંધપાત્ર પ્રમાણમાં થયું છે. આમ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લાઓમાં ઉનાળુ વાવેતરમાં 44,100 હેક્ટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે.

કૃષિ વિભાગના કહેવા મુજબ ભાવનગર જિલ્લામાં ઉનાળું વાવેતરના આંકડા જોઈએ તો મગફળી 7600 હેક્ટર, બાજરી 6700 હેક્ટર, ડુંગળી 5600 હેક્ટર, તલ 5600 હેક્ટર, મગ 1200 હેક્ટર, અને શાકભાજીનું 1600 હેક્ટરમાં વાવેતર થયુ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ઉનાળું વાવેતરના આંકડા જોઈએ તો ભાવનગર જિલ્લામાં 44,100 હેક્ટર, ગીર સોમનાથ જિલ્લામાં  42,700 હેક્ટર, જુનાગઢ જિલ્લામાં 26,600 હેક્ટર, અમરેલી જિલ્લામાં 23,400 હેક્ટર, સુરેન્દ્રનગર  જિલ્લામાં 20,500 હેક્ટર, મોરબી જિલ્લામાં 14,000 હેક્ટર, જામનગર જિલ્લામાં 11,100 હેક્ટર, રાજકોટ જિલ્લામાં 11,000 હેક્ટર, પોરબંદર જિલ્લામાં 5,400 હેક્ટર, બોટાદ જિલ્લામાં 4,600 હેક્ટર, અને દેવભૂમિ દ્વારકા  જિલ્લામાં 1,000 હેક્ટરનો સમાવેશ થાય છે. આમ સૌરાષ્ટ્રમાં કુલ વાવેતર 2,04,300 હેક્ટરમાં જુદા જુદા પાકનું વાવેતર થયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code