1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, અમદાવાદમાં 1985 કેસ, રાજ્યમાં 35 નાં મોત
ગુજરાતમાં કોરોનાના 6097  કેસ નોંધાયા, અમદાવાદમાં 1985 કેસ, રાજ્યમાં 35 નાં મોત

ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, અમદાવાદમાં 1985 કેસ, રાજ્યમાં 35 નાં મોત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. આજે શુક્રવારે રાજ્યમાં કોરોનાના 6097  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1985 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 35 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 8, અને જિલ્લો-1 સુરત શહેર -1, અને જિલ્લામાં -2, વડોદરા શહેર-4 અને જિલ્લો-1, રાજકોટ શહેરમાં- 1 અને જિલ્લામાં-2,   તેમજ મહેસાણા-2, મોરબી-1, ભરૂચ-2,  ગાંધીનગર જિલો- 1, ભાવનગર શહેર-3, અને જિલ્લો-2, અરવલ્લી–1, નવસારી-1, જામનગરશહેર-1, નો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ, વડોદરા બાદ રાજકોટ આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 2,34,350  લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,92,77, 461 લોકો વેક્સિનેશન થયેલા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 94.28 ટકા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ગઈકાલ કરતા  ઘટાડો નોંધાયો હતો. અને  મૃત્યુમાં ગઈકાલ કરતા વધારો થયો છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે ગુરૂવારે રાજ્યમાં કોરોનાના 7,606  કેસ નોંધાયા હતા. આજે ગુરૂવારે 6,097 કેસ નોંધાતા 1509 કેસનો ઘટાડો થયો છે. રાજ્યમાં આજે 12,105 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 57521 છે. જેમાં વેન્ટીલેટર પર 248 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીઓ 57273 છે,

ગુજરાતમાં કોરોનાના આજે 6,097 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 1985 કેસ, સુરત શહેરમાં 204 કેસ, વડોદરા શહેરમાં 1215,  અને જિલ્લામાં 297 કેસ, આણંદમાં 89  કેસ, કચ્છમાં 151 કેસ, રાજકોટ શહેરમાં 237 કેસ, ખેડામાં 181, કેસ  ભરૂચમાં 61,  કેસ, અમદાવાદ જિલ્લામાં 40  કેસ, ગાંધીનગર શહેરમાં 203 કેસ, અને જિલ્લામાં 75, રાજકોટ જિલ્લામાં 135, કેસ, ભાવનગર શહેરમાં 77 કેસ અને જિલ્લામાં 20 કેસ, જામનગર શહેરમાં 75 કેસ, તેમજ સાબરકાંઠામાં 80 અને બનાસકાંઠામાં 88 કેસ, પાટણમાં 60, અને સુરેન્દ્રનગરમાં 14 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે  35નાં મોત નિપજ્યા હતા.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code