1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ભારે વરસાદને પગલે 207 જળાશયોમાં 77 ટકા પાણીનો સંગ્રહ
ગુજરાતમાં ભારે વરસાદને પગલે 207 જળાશયોમાં 77 ટકા પાણીનો સંગ્રહ

ગુજરાતમાં ભારે વરસાદને પગલે 207 જળાશયોમાં 77 ટકા પાણીનો સંગ્રહ

0
Social Share
  • રાજ્યમાં 49 જળાશયો છલકાયાં
  • 30 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર
  • 31 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યના 207 જેટલા જળાશયોમાં હાલ 76.69 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં 3,98,247 એમસીએફટી એટલે કે, કુલ જળસંગ્રહ શક્તિના 71.35 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારે વરસાદના કારણે રાજ્યમાં 49 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે સરદાર સરોવર સહિત 63 જળાશયોમાં 70થી 100 ટકા, 27 જળાશયોમાં 50થી 70 ટકા, 36 જળાશયોમાં 25 થી 50 ટકા અને 31 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં 48 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 30 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 16 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 17 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેમજ હજુ 48 કલાક અનેક શહેરો-નગરોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. ખેડૂતોએ આ સિઝનમાં જંગી ખરીફ પાકનું વાવેતર થયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code