1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે 98 ટકા જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ, હવે કામ બુલેટની ગતિએ કરાશે
અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે 98 ટકા જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ, હવે કામ બુલેટની ગતિએ કરાશે

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે 98 ટકા જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ, હવે કામ બુલેટની ગતિએ કરાશે

0
Social Share

ગાંધીનગરઃ અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ અન્વયે ગુજરાતમાં 98.7 ટકા જમીન સંપાદન કાર્ય રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના સક્રિય સહયોગથી પૂર્ણ થઇ ગયું છે. હવે બુલેટ ટ્રેન માટેના કોરિડોરનું કામ બુલેટની દતિએ આગળ ધપાવવામાં આવશે. રાજ્યમાં રેલવેના વણઉકલ્યા પ્રશ્નો અને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન સાધવાના મુદ્દે રાજ્ય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યતક્ષસ્તે મળેલી બેઠકમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોશે ગુજરાતના રેલ્વે સંબંધિત વિવિધ પ્રોજેક્ટસમાં રાજ્ય-કેન્દ્રના સંકલન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. પી.એમ.ગતિશક્તિના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર છે ત્યારે ડી.એફ.આઇ.સી. હાઇસ્પીડ રેલ પ્રોજેકટ, રાજ્યમાં વિવિધ રેલ્વે લાઇનના ગેજ રૂપાંતરણ અને રેલ્વે ઓવરબ્રીજ તેમજ ઇલેકટ્રીફિકેશનના જે નાના-મોટા પ્રશ્નો છે તેનું ઝડપથી નિવારણ લાવવાની દિશામાં આ બેઠક મળી હતી.

રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશએ ગુજરાતને કેન્દ્ર અને રાજય સરકાર એમ ડબલ એન્જીનની સરકારનો ફાયદો મળે છે ત્યારે મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટ્સ નિર્ધારિત સમય અને ત્વરિત ગતિએ પૂરા થાય તેવી સ્પષ્ટ હિમાયત કરી હતી.આ હેતુસર કેન્દ્રીય રેલ્વે મંત્રાલયના સંબંધિત અધિકારીઓ તથા રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે માસિક સમીક્ષા બેઠક યોજવા તેમણે અનુરોધ કર્યો હતો.અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ અન્વયે ગુજરાતમાં 98.7 ટકા જમીન સંપાદન કાર્ય રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના સક્રિય સહયોગથી પૂર્ણ થઇ ગયું છે.રેલ રાજય મંત્રી દર્શનાબહેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આગામી દિવસોમાં તેમના સુરત, ભરૂચ, નવસારીના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન આ હાઇસ્પીડ રેલની જે કામગીરી થઇ રહી છે તેની પ્રગતિ નિહાળવા સ્થળ મુલાકાત કરવાનું પણ નિમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને જણાવ્યું કે, રાજ્ય-કેન્દ્ર વચ્ચેના રેલ્વે સંબંધિત જે પેન્ડીંગ ઇસ્યુ હોય તેનું નિવારણ એકબીજા સાથે સમજુતી અને ચર્ચા-વિચારણાથી આવે તેવું વાતાવરણ ઊભું થવું જોઇએ.તેમણે મુખ્ય સચિવ પંકજકુમારને ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર, રેલ્વે ઓવરબ્રીજમાં રાજ્ય-કેન્દ્રની ભાગીદારી સહિતના જે વિવિધ પ્રશ્નો છે તેના માટે ઇન્સ્ટીટયુશનલાઇઝડ વ્યવસ્થા ઊભી કરી એક માસ પછી સમગ્ર પ્રશ્નોના નિરાકરણની સમીક્ષા કરવા સૂચન કર્યુ હતું. (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code