1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મિઝોરમ સહિત 4 રાજ્યોમાં ઘૂસણખોરીનું એલર્ટ, કડક કાર્યવાહીના ગૃહ મંત્રાલયે આપ્યા નિર્દેશ

મિઝોરમ સહિત 4 રાજ્યોમાં ઘૂસણખોરીનું એલર્ટ, કડક કાર્યવાહીના ગૃહ મંત્રાલયે આપ્યા નિર્દેશ

0
Social Share
  • પાડોશી દેશ મ્યાંમારમાં તખ્તાપલટ ચાલી રહ્યું છે
  • દેશના 4 રાજ્યમાં ઘૂસણખોરીનું એલર્ટ જારી કરાયું
  • ઘૂસણખોરી થતાં જ કાયદેસર કાર્યવાહી કરવાના અપાયા નિર્દેશ

નવી દિલ્હી: પાડોશી દેશ મ્યાંમારમાં તખ્તાપલટ ચાલી રહ્યું છે ત્યારે ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ શુક્રવારે 4 રાજ્યોમાં ઘૂસણખોરીનું એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ ઘૂસણખોરી થતાં કાયદેસર કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

અધિકારીઓ અનુસાર ગૃહ મંત્રાલયે એક પત્રમાં પૂર્વોત્તરના ચાર રાજ્યોને મ્યાંમાર બોર્ડર પારથી અવૈધ પ્રવેશને લઇને ચેતવ્યા છે. સાથે જ એવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તમામ સાવધાનીઓ વર્તવાના નિર્દેશ આપ્યા છે.

મિઝોરમ સરકારે તાજેતરમાં જ કહ્યું હતું કે મ્યાંમારથી 16 લોકો રાજ્યની સીમામાં પ્રવેશ કરી ગયા, જેમાંથી 11 એ દાવો કર્યો કે તે પોલીસકર્મી હતા. પછી મ્યાંમારે પોતાના 8 પોલીસકર્મીઓને તેમને સોંપવા માટે કહ્યું હતું. તો બીજી તરફ મણિપુરના સીએમ એન બીરેન સિંહે પણ મ્યાંમારથી લોકોના રાજ્યમાં પ્રવેશનો પ્રયત્ન કરવાની વાત કહી હતી. જોકે સુરક્ષાબળોની મોટી સંખ્યામાં તૈનાતી જોતાં તે પરત ફર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મ્યાંમારમાં ચાલી રહેલા પ્રદર્શન સતત ઉગ્ર બનતા જાય છે. આ દરમિયાન ગુરૂવારે સુરક્ષાબળોની કાર્યવાહીમાં 10 પ્રદર્શનકારીઓને ગોળી વાગતાં તેમના મોત થયા. આ ઉપરાંત યાંગૂન, માંડલે, બાગો અને તુઆંગૂમાં પણ એક-એક પ્રદર્શનકારીના મોત થયા છે. આ પહેલાં પણ સુરક્ષાબળોએ પ્રદર્શનકારી પર ગોળીબારી કરી હતી. જેમાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા હતા.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code