1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન અને NIMCJ દ્વારા રસીકરણ સંદર્ભે યોજાશે જનજાગૃતિના કાર્યક્રમો
વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન અને NIMCJ દ્વારા રસીકરણ સંદર્ભે યોજાશે જનજાગૃતિના કાર્યક્રમો

વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન અને NIMCJ દ્વારા રસીકરણ સંદર્ભે યોજાશે જનજાગૃતિના કાર્યક્રમો

0
Social Share
  • આગામી 1લી મેથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં 18-44ની વયના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થશે
  • આ દરમિયાન વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન-NIMCJ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે
  • તે ઉપરાંત રસીકરણ સંદર્ભે એક વેબીનારનું પણ આયોજન કરાશે

અમદાવાદ: કોરોના મહામારીના આ વિકટ સંજોગોમાં એક સકારાત્મક સમાચારથી આશાઓના કિરણ જોવા મળ્યા છે. આગામી 1લી મેથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં 18 થી 44ની ઉંમરના યુવાનોને રસીકરણની પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે. આ જ સમય દરમિયાન વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન તેમજ NIMCJ દ્વારા કેટલાક જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

આ જનજાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે NIMCJના વિદ્યાર્થીઓ રસીકરણ ઝુંબેશ અંતર્ગત પોસ્ટર, વોટ્સઅપ ક્રિએટિવ, શોર્ટ ફિલ્મ મેકિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ આગામી કેટલાક મહિનાઓમાં કરવામાં આવશે. આ ઉપરાંત રસીકરણ સંદર્ભે મીડિયાના વિદ્યાર્થીઓ માટે એક વેબીનારનું પણ આયોજન કરાશે. જેમાં નિષ્ણાતો દ્વારા ચર્ચા કરવામાં આવશે.

આ ઝુંબેશ અંતર્ગત NIMCJ સંસ્થાના સહયોગી બ્લો હોર્ન (Blow horn) દ્વારા તૈયાર કરાયેલા પોસ્ટર પણ વિવિધ માધ્યમો દ્વારા શેર કરવામાં આવશે. મહત્વનું છે કે, આ રસીકરણ ઝુંબેશ સંભવત: વિશ્વની સૌથી મોટી આરોગ્ય ઝુંબેશ હશે. ચાલો સૌ તેને વધાવી લઇએ અને તેમાં ભાગ લઇને સુરક્ષિત થઇને અને અન્યોને પણ સુરક્ષિત કરીએ.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code