1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા બેન્કોનું કામકાજ પુનઃ પૂર્વવત બન્યું

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા બેન્કોનું કામકાજ પુનઃ પૂર્વવત બન્યું

0
Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારે કેટલાક નિયંત્રણો મુક્યા હતા. જેમાં સરકારી અને ખાનગી કચેરીઓમાં 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાના સુચના આપવામાં આવી હતી. સરકારી અને ખાનગી બેન્કોએ પણ લોકો માટે કામકાજના સમયમાં ઘટાડો કર્યો હતો. હવે કોરોનાના કેસો ઘટતા ફરી એકવાર રાજ્યની બેંકો 100 ટકા કર્મચારીઓ સાથે ફરી એકવાર ધમધમતી થઈ છે.

કોરોના કેસો વધ્યા બાદ બંધ કરાયેલી કેટલીક કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી બેન્કોમાં કેટલીક કામગીરી બંધ હોવાથી ગ્રાહકોનો ધસારો ઘટ્યો હતો. બેન્કોમાં હવે તમામ કામગીરી શરૂ થતાં ગ્રાહકોનો ધસારો વધશે તેવી બેંક યુનિયનને દહેશત છે. તમામ બેંક કર્મચારીઓને ઝડપથી વેક્સીનેટેડ કરવામાં આવે તેવી યુનિયન તરફથી માગ ઉઠી છે.  કોરોના વોરિયર્સનો દરજ્જો પ્રાપ્ત એવા બેન્ક કર્મચારીઓ માટે સ્પેશિયલ વેકસીનેશન ડ્રાઈવ યોજવા માંગ કરવામાં આવી છે. અન્ય કોરોના વોરિયર્સ માટે જે પ્રકારે વેક્સિનેશન ડ્રાઈવ કરાઈ તે મુજબ લાભ આપવા માંગ કરવામાં આવી છે. બેંક કર્મીઓ માટે સ્પેશિયલ વેકસીનેશન ડ્રાઈવ યોજવા SLBCએ CM ને પત્ર લખ્યો છે. બીજી લહેરમાં કોરોનાને કારણે 200 જેટલા બેન્ક કર્મચારીઓના મોત થયા હતા. મહા ગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિએશનને રજુઆત કરાઇ છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં અંદાજે 18 હજાર જેટલા બેન્ક કર્મચારીઓ સંક્રમિત થવાનો યુનિયનનો દાવો છે. સતત ગ્રાહકો અને રોકડ નાણા સાથે કામ કરવાનું હોવાથી સંક્રમણનો સૌથી વધુ ડર છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code