1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યના આઠ શહેરોમાં 15 સપ્ટેમ્બર સુધી રાત્રિ કરફ્યુ 11થી સવારે 6 વાગ્યા સુધી રહેશે
રાજ્યના આઠ શહેરોમાં 15 સપ્ટેમ્બર સુધી રાત્રિ કરફ્યુ 11થી સવારે 6 વાગ્યા સુધી રહેશે

રાજ્યના આઠ શહેરોમાં 15 સપ્ટેમ્બર સુધી રાત્રિ કરફ્યુ 11થી સવારે 6 વાગ્યા સુધી રહેશે

0
Social Share

અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આપેલી માહિતી મુજબ, રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં તારીખ 28 ઓગસ્ટ રાત્રિના 11 કલાકથી તારીખ 15 સપ્ટેમ્બર સવારે 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. આ 8 શહેરોમાં રાત્રે 11 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. જોકે જન્માષ્ટ્રમીના રાત્રે કરફ્યુનો અમલ રાતના 1 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. લોકો જન્માષ્ટ્મીનો તહેવાર ઊજવી શકે તે માટે એક દિવસ પુરતી છૂટછાટ આપવામાં આવી છે.

રાજ્યમાં કૃષ્ણ જન્મોત્સવ અને ગણેશ મહોત્સવને લઈને રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. જે પૈકી કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીની ગાઈડલાઈન આ મુજબ છે. તારીખ 30-08-2021 કૃષ્ણ જન્મોત્સવ. રાજ્યમાં લોકો જન્માષ્ટમીના રોજ રાત્રે 12 કલાકે ઉજવાતા પરંપરાગત કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકશે. મંદિર પરિસરમાં એકસાથે વધુમાં વધુ 200 લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ આપવામાં આવશે. મંદિરમાં દર્શન માટે આવતા લોકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. તહેવારમાં નીકળતી શોભાયાત્રામાં પણ મર્યાદિત વાહનો અને મર્યાદિત રૂટ પર તેનું આયોજન કરી શકાશે. આ શોભાયાત્રામાં પણ વધુમાં વધુ 200 લોકોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં તહેવારો દરમિયાન મટકીફોડનું આયોજન કરવામાં આવશે નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code