1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રે…અંઘશ્રદ્ધા, મેલું કાઢવા મહિલાને સળિયાના ડામ દઈને હત્યા કરાઈઃ દ્વારકાના ઓખામઢીનો બનાવ
રે…અંઘશ્રદ્ધા, મેલું કાઢવા મહિલાને સળિયાના ડામ દઈને હત્યા કરાઈઃ દ્વારકાના ઓખામઢીનો બનાવ

રે…અંઘશ્રદ્ધા, મેલું કાઢવા મહિલાને સળિયાના ડામ દઈને હત્યા કરાઈઃ દ્વારકાના ઓખામઢીનો બનાવ

0
Social Share

દ્વારકાઃ જિલ્લામાં અંધશ્રદ્ધાએ મહિલાનો ભોગ લીધો છે. જિલ્લાના ઓખામઢી ગામે મેલી વિદ્યાના ચકકરમાં પરોઢીયે પરિણીતાને સાંકળ અને ધોકા વડે બેફામ મારી ડામ દઇ અમાનુષી હત્યા નિપજાવવામાં આવ્યો હોવાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવમાં મૃતકના પરિવારજન સહિત પાંચેક વ્યકિતની સંડોવણી ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આ બનાવની વિગતો એવી છે. કે, દ્વારકાના ઓખામઢી ગામે એક ધર્મસ્થાન પાસે વહેલી સવારે રમીલાબેન વાલાભાઈ સોલંકી (ઉ.વ. 25) નામની પરિણીતાને ‘મેલું કાઢવા’ માટે તેના પરિવારજન અને ભૂવાઓ સહિતના સાંકળ અને ઘોકા વડે માર મારી શરીરે ડામ દેતા શરીરે ગંભીર ઇજાઓ થતા રમીલાબેન નામની મહિલાએ દમ તોડયો હતો.આથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડયો હતો.બીજી બાજુ પ્રાથમિક પોલીસ તપાસમાં હત્યાના બનાવમાં અમુક પરિવારજનોની પણ સંડોવણી સામે આવતા પોલીસે પાંચેક લોકો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રૂર હત્યાના આ બનાવમાં મૃતકના પરિવારના ભૂવાઓની સંડોવણી હોવાનુ જાણવા મળ્યુ છે. અંધશ્રધ્ધાના ખપ્પરમાં પચીસ વર્ષીય પરિણીતાએ જીવ ગુમાવતા તેના ત્રણ માસુમ બાળકોએ તેની માતાની છત્રછાયા ગુમાવી દીધી હોવાનુ બહાર આવ્યું છે. કાંડમાં મહિલાને ​​​​​​​સળીયા ગરમ કરી ડામ દેવાયા હોવાનુ જાણવા મળ્યું છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code