1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિ.ના ટેક્સ બીલમાં હવે કબજેદારનું નામ નહીં દર્શાવાય
અમદાવાદ મ્યુનિ.ના ટેક્સ બીલમાં હવે કબજેદારનું નામ નહીં દર્શાવાય

અમદાવાદ મ્યુનિ.ના ટેક્સ બીલમાં હવે કબજેદારનું નામ નહીં દર્શાવાય

0
Social Share

 

અમદાવાદઃ શહેરમાં  મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.  ટેક્સ વિભાગમાં 25 ટકા અરજીઓ રેસિડેન્ટમાં મિલકતના કબ્જેદારનું નામ ઉમેરવા કે ઓછી કરવા માટેની અરજીઓ આવતી હોય છે. જેના કારણે રેવન્યુ કમિટીને કોઈ ફાયદો થતો નથી જેથી હવે ટેક્સ બીલમાં કબ્જેદારનું કોલમ ખાલી રાખવામાં આવશે. જ્યાં જરૂર પડે ત્યારે જ કબ્જેદારનું નામ ઉમેરવામાં આવશે.

મ્યુનિના રેવન્યુ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેક્સ બિલમાં પ્રથમ માલિકનું નામ હોય છે બાદમાં કબ્જેદારનું નામ હોય છે. આવા કબ્જેદારના ફેરફાર માટેની અરજીઓ કરવામાં આવે છે જેનાથી રેવન્યુમાં કોઈ ફરક પડતો નથી. જેથી લીગલ અભિપ્રાય લીધા બાદ હવે આ કોલમ ખાલી રાખવામાં આવશે. એવું કમિટીમાં નક્કી કરવામાં આવ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિના ટેક્સ વિભાગમાં 14થી 15 પ્રકારની અરજીઓ કરવામાં આવે છે. જેમાં 10થી 12 જેટલા વિવિધ ડોક્યુમેન્ટ લેવામાં આવે છે. કેટલાક ડોક્યુમેન્ટ હવે બિનજરૂરી છે જેથી હવે રેવન્યુ કમિટીમાં નક્કી કરવામાં આવ્યું છે કે માત્ર 4 જ ડોક્યુમેન્ટ લેવામાં આવશે. આમ કરવાથી હવે 50 ટકાની આસપાસ ડોક્યુમેન્ટ જ લેવાની જરૂર પડશે. જેમાં શેમાં ક્યાં ડોક્યુમેન્ટ લેવા તે ટેક્સ વિભાગ નક્કી કરશે. આનાથી ટેક્સધારકોને પણ ફાયદો થશે. આ અરજીઓ ઓનલાઇન પણ લેવામાં આવે જેનાથી વિભાગ ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ થશે. ટેક્સધારકો દ્વારા કરવામાં આવેલી અરજીઓના અનુસંધાને જો કોઈ પુરાવા ખૂટે તો વોર્ડ ઈન્સ્પેકટર દ્વારા જાવક પાઠવવામાં આવે છે. આગામી અઠવાડિયામાં હવેથી 15 ટકા જાવકોનું ડેપ્યુટી એસેસર અને ટેક્સ ક્લેકટર તેમજ આસિસ્ટન્ટ મેનેજર લેવલે ચેકિંગ કરવામાં આવશે. ફક્ત અરજીઓના નિકાલના પુરાવા ખૂટતા હોય તે જ સુનિશ્ચિત કરવાનું રહેશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code