1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ પ્રકિયા સપ્તાહમાં શરૂ થવાની શક્યતા
રાજ્યમાં તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ પ્રકિયા સપ્તાહમાં શરૂ થવાની શક્યતા

રાજ્યમાં તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ પ્રકિયા સપ્તાહમાં શરૂ થવાની શક્યતા

0
Social Share

અમદાવાદઃ તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બાદ યુજી-નીટનું પરિણામ પણ જાહેર તઈ જતાં હવે તા. 10મી નવેમ્બર બાદ મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થશે. આ વર્ષે પરિણામો સારા આવ્યા હોવાથી  પ્રવેશ માટે ભારે ધસારો રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ધો.12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપના વિદ્યાર્થીઓ નીટના આધારે મેડિકલ, ડેન્ટલ,  આયુર્વેદિક, હોમિયોપેથી અને નેચરોપેથી સહિતના પાંચ કોર્સમાં પ્રવેશ મેળવી શકશે. નીટનું પરિણામ ખૂબ વિલંબથી જાહેર થયુ છે. પણ તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ પ્રક્રિયા કયારથી શરૂ થશે તેને લઈને વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. નેશનલ ટેસ્ટિગ એજન્સી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓના નીટ સ્કોર-રેન્કિંગનો ડેટા મળી ગયા બાદ ગુજરાત સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે લગભગ 10મી નવેમ્બર પછી 15મીની આસપાસ શરૂ થાય તેવી શક્યતા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ વર્ષે મેડિકલ-ડેન્ટલ સાથે પેરામેડિકલની પ્રવેશ પ્રક્રિયા પણ સમાંતર જ ચાલશે કારણ કે, પેરામેડિકલના રજિસ્ટ્રેશન બાદ હજુ સુધી મેરિટ-ચોઈસ ફિલિંગ-એડમિશન પ્રક્રિયા બાકી છે.મેડિકલ-ડેન્ટલમાં આ વર્ષે બેઠકો વધે તેવી શક્યતા છે. ખાસ કરીને આયુર્વેદિકમાં ઘણી બેઠકો વધી શકે છે. આ વર્ષે ઘણી મેડિકલ કોલેજોમાં ઈન્સ્પેકશન થયા હોવાથી પરમિશન મળતા બેઠકો વધવાની શક્યતા છે પરંતુ બીજી બાજુ વિદ્યાર્થીઓ પણ ખૂબ જ વધ્યા છે. આ વર્ષે ગુજરાતમાંથી નીટ ક્વોલિફાઈ કરનારા અંદાજે 40 હજાર જેટલા વિદ્યાર્થીઓ છે.ગત વર્ષે  36398 વિદ્યાર્થીઓ પાસ ક્વોલિફાઈ થયા હતા. એટલે પ્રવેશ માટે ઘસારો રહેશે. અને  જો બેઠકોમાં વધારો ન થાય તો મેરિટ પણ ઉંચુ જવાની શક્યતા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code