1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 1893 કેસ,
ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 1893  કેસ,

ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 1893 કેસ,

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે  સોમવારે રાજ્યમાં કોરોનાના 6097  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1893 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ અને સુરત બાદ વડોદરા આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 3,82,777 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,35,01,594 લોકો વેક્સિનેશન થયેલા છે.

રાજ્યમાં તંત્ર માટે રાહતના સમાચાર એ છે. કે, ગઈકાલ કરતા કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાના 6275 કેસ નોંધાયા હતા. આજે સોમવારે  6077 કેસ નોંધાતા 178 કેસમાં ઘટાડો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે રવિવારે 2487 કેસ નોંધાયા હતા. જેમાં આજે સોમવારે 1873 કેસ નોંધાતા 594 કેસ ઓછા નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાની રફતાર ધીમી ગતિએ વધી રહી છે.અને કેસ ઘટી રહ્યા છે. પરંતુ  આજે સોમવારે ઓમિક્રોનના 28 કેસ નોંધાયા હતા. જ્યારે આજે અગાઉ ઓમિક્રોનથી સંક્રમિત થયેલા 37 દર્દીઓ સાજા થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે. આજે રવિવારે રાજ્યમાં 6097  કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1893 નોંધાયા છે. જે ગઈ કાલે 2487    કેસ નોંધાયા હતા. આમ ગઈકાલ કરતા આજે 594 કેસ ઓછા નોંધાયા હતા.

ગુજરાતમાં કોરોનાના આજે 6079  કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 1893    કેસ, સુરત શહેરમાં 1778  કેસ, વડોદરા શહેરમાં 410   કેસ, આણંદમાં 88  કેસ, કચ્છમાં 109 કેસ, રાજકોટ શહેરમાં 191   કેસ, ખેડામાં 126, કેસ  ભરૂચમાં 78  કેસ, અમદાવાદ જિલ્લામાં 30  કેસ, ગાંધીનગર શહેરમાં 131  કેસ, અને જિલ્લામાં 64, રાજકોટ જિલ્લામાં 58 કેસ, ભાવનગર શહેરમાં 93 કેસ અને જિલ્લામાં 15 કેસ, જામનગર શહેરમાં 47 કેસ, તેમજ સાબરકાંઠામાં 10, અને બનાસકાંઠામાં 18 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે બેના મોત નિપજ્યા હતા. રાજ્યના પોરબંદર અને ડાંગ સિવાય તમામ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા હતા. બોટાદમાં આજે 1 કેસ નોંધાયો હતો. રાજ્યમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ 264 કેસ નોંધાયા હતા જેમાં 223 દર્દીઓ સાજા થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code