1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં થયેલા મોટા આતંકી હુમલામાં 10 જવાનો શહીદ,એક આતંકવાદીનો ઠાર
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં થયેલા મોટા આતંકી હુમલામાં 10 જવાનો શહીદ,એક આતંકવાદીનો ઠાર

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં થયેલા મોટા આતંકી હુમલામાં 10 જવાનો શહીદ,એક આતંકવાદીનો ઠાર

0
Social Share
  • બલૂચિસ્તાન પ્રાંતમાં મોટો આતંકી હુમલો
  • હુમલામાં 10 જવાનો થયા શહીદ
  •  એક આતંકવાદીને ઠાર કરાયો 

દિલ્હી:પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મોટો આતંકી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં 10 જવાનો શહીદ થયાના સમાચાર મળ્યા છે. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સના મહાનિર્દેશક મેજર જનરલ બાબર ઇફ્તિખારે જણાવ્યું હતું કે,ગુરુવારે બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં એક સુરક્ષા ચેક પોસ્ટ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 10 જવાનો શહીદ થયા છે.

સેનાની મીડિયા વિંગે એક નિવેદનમાં જણાવ્યું છે કે,આ ઘટના 25 થી 26 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે બની હતી, જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને અન્ય ઘણા ઘાયલ થયા હતા

સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને પકડવામાં આવ્યા છે, જ્યારે તેઓ હજુ પણ આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આતંકવાદીઓને શોધી રહ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સશસ્ત્ર દળો આપણી ધરતી પરથી આતંકવાદીઓને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે, ગમે તેટલી કિંમત હોય.અફઘાનિસ્તાનની સત્તા પર કબજો જમાવનાર તાલિબાન પાકિસ્તાન માટે ખરાબ સાબિત થઈ રહ્યું છે.

સ્ટડીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,10 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી એક મહિનાના યુદ્ધવિરામ છતાં આતંકવાદી હુમલાની સંખ્યામાં ઘટાડો થયો નથી. પાકિસ્તાનમાં દર મહિને આતંકવાદી હુમલાઓની સરેરાશ સંખ્યા 2020 માં 16 થી વધીને 2021 માં 25 થઈ ગઈ છે, જે 2017 પછી સૌથી વધુ છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code