- સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે વરિયાળી
- ત્વચાની તમામ સમસ્યાઓ માટે પણ રામબાણ
- જાણો તેના ફાયદા
ભોજનમાં મસાલા તરીકે વરિયાળીનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે.વરિયાળીનો મોટાભાગે લોકો માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરે છે.વરિયાળીના સેવનથી મોંઢાની દુર્ગંધથી તો છૂટકારો મળે જ છે સાથે જ તેના બીજા કેટલાય ફાયદા પણ છે. વરિયાળી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, જમ્યા બાદ તેના સેવનથી ભોજન પચાવવામાં સરળતા રહે છે.
વરિયાળી કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, વિટામિન એ, વિટામિન સી, ફાઈબર અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.પરંતુ શું તમે જાણો છો કે,સ્વાસ્થ્ય સિવાય વરિયાળી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.અહીં જાણો ત્વચા માટે વરિયાળીના ફાયદાઓ વિશે.
જો તમને ખીલની સમસ્યા છે તો તમે વરિયાળીથી ઘણો ફાયદો મેળવી શકો છો.વરિયાળીમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.વરિયાળીના બીજને થોડી વાર પાણીમાં પલાળી રાખો.આ પછી તેને પીસીને તેમાં થોડું દહીં અને મધ મિક્સ કરો.આ પેકને લગભગ 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો. ત્યારબાદ ચહેરો ધોઈ લો.આ તમારી ત્વચાને ઠંડક આપવાનું કામ કરશે,ચહેરા પર ભેજ જાળવી રાખશે અને ખીલની સમસ્યાને દૂર કરશે.
વરિયાળીનો ઉપયોગ ત્વચાને નિખારવા માટે પણ થાય છે.આ માટે એક ચમચી વરિયાળી અને બે ચમચી ઓટમીલને મિક્સરમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરો.આમાંથી એક પેસ્ટ તૈયાર કરવામાં આવશે.આ પેસ્ટને તમારા ચહેરા પર 15-20 મિનિટ માટે લગાવો.આ પછી થોડા પાણીથી માલિશ કરો.પછી સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો.તેનાથી તમારી ત્વચાના મૃત કોષો દૂર થશે અને ત્વચા પર ચમક આવશે.
જ્યારે કેટલાક લોકો સવારે ઉઠે છે, ત્યારે તેમની આંખોની આસપાસના વિસ્તારમાં ખૂબ સોજો આવે છે.જો તમારી સાથે પણ આવું થતું હોય તો વરિયાળી આ બાબતમાં મદદરૂપ છે.આ માટે બે ચમચી વરિયાળીને આખી રાત પાણીમાં પલાળી રાખો.સવારે આ પાણીમાં કોટન પલાળી દો અને આંખો બંધ કરીને આંખો પર રાખો.ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.આમ કરવાથી આંખોની આસપાસનો સોજો દૂર થાય છે.