1. Home
  2. ગુજરાતી
  3. પાન-ગૂટખાની એડ કરીને ટ્રોલ થયેલા અક્ષય કુમારે ચાહકો પાસે માંગી માફી,એડના પૈસાને સારા કામમાં વાપરવાનો કર્યો નિર્ણય
પાન-ગૂટખાની એડ કરીને ટ્રોલ થયેલા અક્ષય કુમારે ચાહકો પાસે માંગી માફી,એડના પૈસાને સારા કામમાં વાપરવાનો કર્યો નિર્ણય

પાન-ગૂટખાની એડ કરીને ટ્રોલ થયેલા અક્ષય કુમારે ચાહકો પાસે માંગી માફી,એડના પૈસાને સારા કામમાં વાપરવાનો કર્યો નિર્ણય

0
Social Share
  • અક્ષય કુમારે પાન-સમાલાની એડ કરવા બદલ ચાહકો પાસે માફી માંગી
  • એડના રપિયાને સારા કામમાં આપવાનો નિર્ણય લીધો

મુંબઈઃ- બોલિવૂડના સ્ટાર્સ આજકાલ પાન-મસાલા-ગૂટખાની જાહેરાત કરીને પોતાના ચાહકોને નારાજ કરી રહ્યા છે, શાહરુખ ખાન અજય દેવગન અને હવે એક્શન હિરો અક્ષય કુમાર પણ પાન મસાલાની એડ કરીને ચાહકો તરફથી સખ્ત ટ્રોલ થી રહ્યા છે.

અક્ષય કુમારને પાન મસાલાની એડ કરવા બદલ તેમના ચાહકો હદની બહાર ટ્રોલ કરી રહ્યા છે આ સાથએ જ તેમનો એક જૂનો વિડીયો સતત સોશિયલ મીડિયા પર વાયરલ થી રહ્યો છે, જે વીડિયોમાં તેઓ એમ કહેતા જોવા મળ્યા હતા કે તેઓ ક્યારેય કોઈ હાનિકારક વસ્તુને પ્રમોટ નહી કરે, ત્યારે હવે આ વીડિયો શષેર કરીને લોકો એક્શન હિરોને ટ્રોલ કરીને જૂઠો ગણાવી રહ્યા છએ

જો કે આ વાત એક્ષય કુમારને પણ ગમી નથી તેઓએ આ વાતને લઈને પોતાના ચાહકો પાસે માફી માંગી છે અને ભવિષ્યમાં આવું કામ સોચી સમજી અને વિચારી  કરશે તેમ જણઆવ્યું છે આ સાથે જ તેમણે કહ્યું છે કે તેઓ આ ગૂટખાની એડમાંથી કમાયેલા પેસા કોઈ સારા કામમાં વાપરશે.

અક્ષયે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટ શેર કરતી વખતે, અભિનેતાએ માત્ર તેના ચાહકોને પૂછ્યું જ નહીં પરંતુ એક મોટી જાહેરાત પણ કરી. અભિનેતાએ હવે જાહેરાત છોડવાનું મન બનાવી લીધું છે. તેણે જાહેરાત કરી કે તે હવે આ પાન મસાલા બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર રહેશે નહીં.

પોતાના ઓફિશિયલ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા તેણે લખ્યું, “મને માફ કરજો. હું મારા તમામ ચાહકો અને શુભેચ્છકોની માફી માંગવા માંગુ છું. તમારા પ્રતિભાવો જે છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવ્યા છે તે મને ખૂબ પ્રભાવિત કર્યા છે. મેં ક્યારેય તમાકુનું સમર્થન કર્યું નથી અને ક્યારેય કરીશ પણ નહીં. હું આ બ્રાન્ડ સાથેના મારા જોડાણ અંગે તમારી લાગણીઓને માન આપું છું, તેથી હું સંપૂર્ણ નમ્રતા સાથે પાછો ખસી રહ્યો છું.

અભિનેતાએ આગળ લખ્યું, “મેં નક્કી કર્યું છે કે હું જાહેરાત માટે મળેલી ફીનો ઉપયોગ સારા હેતુ માટે કરીશ. બ્રાન્ડ, જો તે ઈચ્છે તો, તેના કરારની કાનૂની મુદત પૂરી ન થાય ત્યાં સુધી આ જાહેરાતનું પ્રસારણ કરવાનું ચાલુ રાખી શકે છે. પરંતુ હું વચન આપું છું કે ભવિષ્યમાં હું સમજદારીપૂર્વક વિકલ્પો પસંદ કરીશ. બદલામાં, હું હંમેશા તમારા પ્રેમ અને પ્રાર્થના માટે પૂછીશ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code