
આસામમાં પુરનો પ્રકોપ – જાપાની ઈન્સેફેલાઈટિસ ફેલાવાના કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત, હાલ 82 લોકો સંક્રમિત
- આસામમાં જાપાનીઝ ઈન્સેફેલાટીસ નો કહેર
- 8 લોકોએ આ ઈન્ફેક્શનમાં જીવ ગુમાવ્યા
- 82 લોકો હાલ પણ તેનાથી સંક્રમિત
ગુહાવટી- છેલ્લા કેટલાક દિવસોથી આસામમાં પુરનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જાપાની ઈન્સેફેલાઈટિસનું સ્કરમણ પણ વધતું જોવા મળી રહ્યું છે ચિંતાની વાત એ છે કે આ ઈન્ફેક્શનથી 8 લોકોએ જીવ ગુમાવ્યા છે.
પૂરગ્રસ્ત આસામમાં છેલ્લા નવ દિવસમાં જાપાનીઝ ઈન્સેફેલાટીસને કારણે ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે અને 82 લોકો સંક્રમિત થયા છે. આરોગ્ય વિભાગે જિલ્લા અધિકારીઓને જિલ્લા રેપિડ રિસ્પોન્સ ટીમોની રચના કરવા અને પરિસ્થિતિ પર સતત નજર રાખવા જણાવ્યું છે.
આસામના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અવિનાશ જોશી અને NHMના ડિરેક્ટર ડૉ એમએસ લક્ષ્મી પ્રિયાએ શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે અધિકારીઓને પરિસ્થિતિનો સામનો કરવા માટે 16 જુલાઈ સુધીમાં ડીઆરઆરટીની રચના કરવા જણાવ્યું હતું.NHM એ જાપાનીઝ ઈન્ફએક્શન ફાટી નીકળેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા અને માર્ગદર્શિકા જારી કરી છે.
જાપાનીઝ ઈન્સેફેલાઈટિસ અને મેલેરિયાથી આસામમાં દર વર્ષે ઘણા લોકો મૃત્યુ પામે છે. આ રોગચાળો ખાસ કરીને ચોમાસાની ઋતુ અને પૂર દરમિયાન ફેલાય છે. સામાન્ય રીતે આ ચક્ર મેમાં શરૂ થાય છે અને ઓક્ટોબર સુધી ચાલુ રહે છે.નેશનલ હેલ્થ મિશન મુજબ, જાપાનીઝ ઈન્સેફેલાઈટિસ કારણે 1 જુલાઈથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે અને 82 લોકો વેક્ટર-જન્ય રોગથી સંક્રમિત થયા છે.