1. Home
  2. ગુજરાતી
  3. સંસદ ભવનના કર્મચારીઓ નવા લુકમાં જોવા મળશે
સંસદ ભવનના કર્મચારીઓ નવા લુકમાં જોવા મળશે

સંસદ ભવનના કર્મચારીઓ નવા લુકમાં જોવા મળશે

0
Social Share
  • નવી સંસદમાં કર્મીઓનો નવો યુનિફોર્મ
  • અધિકારીઓ સફારી નહીં કુર્તા પહેરશે
  • માર્શલ સહિતના અધિકારીઓ માટે મણિપુરી ટોપી
  • મહિલા કર્મીઓ માટે ખાસ ડિઝાઈનની સાડી
  • પુરૂષ કર્મીઓ કમળ વાળા બટન ડાઊન શર્ટ પહેરશે

દિલ્હી: સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે સંસદની નવી ઇમારતમાં વિધિવત પૂજા સાથે ગૃહની કાર્યવાહી ચાલશે. સત્ર જૂના સંસદ ભવનથી શરૂ થશે અને નવા મકાનમાં સમાપ્ત થશે. આ દરમિયાન સંસદ ભવનના કર્મચારીઓના ડ્રેસને લઈને મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. માર્શલ્સ હવે સંસદ ભવનમાં સફારી સૂટને બદલે ક્રીમ કલરના કુર્તા અને પાયજામા પહેરીને જોવા મળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદ ભવનના કર્મચારીઓનો યુનિફોર્મ પણ બદલવામાં આવનાર છે. સંસદભવનના કર્મચારીઓ માટે નવો યુનિફોર્મ તૈયાર કરવામાં આવ્યો છે. કર્મચારીઓ માટેનો નવો યુનિફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી એટલે કે NIFT દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ અંતર્ગત સચિવાલયના કર્મચારીઓના બંધ ગળાના સૂટને મેજેન્ટા અથવા ડાર્ક પિંક નેહરુ જેકેટમાં બદલી દેવામાં આવશે. તેમના શર્ટ પણ ઘેરા ગુલાબી રંગના હશે જેના પર કમળનું ફૂલ હશે અને તેઓ ખાખી રંગનું પેન્ટ પહેરશે.

આ ઉપરાંત લોકસભા અને રાજ્યસભાના માર્શલોના ડ્રેસમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હવે તે મણિપુરી પાઘડી પહેરશે. સંસદ ભવનના સુરક્ષા કર્મચારીઓનો ડ્રેસ પણ બદલવામાં આવ્યો છે.અત્યાર સુધી તેઓ સફારી સૂટ પહેરતા હતા. તેના બદલે તેમને સૈનિકોની જેમ કેમોફલેઝ ડ્રેસ આપવામાં આવશે.

પહેલા દિવસે 18 સપ્ટેમ્બરે જૂના સંસદ ભવનમાં જ બેઠક યોજાશે. આ બેઠકમાં વર્તમાન સંસદભવનના નિર્માણથી લઈને અત્યાર સુધીની યાદો પર ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસે પૂજા બાદ નવા સંસદ ભવનમાં પ્રવેશ થશે અને બંને ગૃહોની સંયુક્ત બેઠક પણ યોજવામાં આવશે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ સત્રનો એજન્ડા શું હશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code