Homeગુજરાતીકેનેડાએ ભારતમાં રહેતા પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી  અપડેટ કરી

કેનેડાએ ભારતમાં રહેતા પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી  અપડેટ કરી

દિલ્હીઃ એક તરફ જ્યાં કેનેડામાં ભારતીય દુતાવાસની બહાર ખાલિસ્તાનીઓના પ્રજદર્શનને લઈને સુરક્ષા વઘારી દેવામાં આવી છે ત્યા બીજી તરફ કેનેડા દ્રારા ભારતમાં રહેતા પોતાના નાનરિકોને લઈને એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  કેનેડાએ ભારતમાં તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે અને તેમને તાજેતરના વિકાસના સંદર્ભમાં ‘સતર્ક રહેવા અને સાવધાની રાખવા’ કહ્યું છે, કારણ કે કેનેડા સામે વિરોધ પ્રદર્શન અને તણાવ પૂર્મ માહોલ છે.

“કેનેડા અને ભારતમાં તાજેતરના વિકાસના સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર કેનેડા પ્રત્યે વિરોધ અને કેટલીક નકારાત્મક લાગણીઓ માટે બોલાવવામાં આવ્યા છે,” કેનેડિયન સરકારે રવિવારે એક  જણાવ્યું હતું. કૃપા કરીને સતર્ક રહો અને સાવચેતી રાખો.”

ગ્લોબલ ન્યૂઝના સમાચાર અનુસાર  ભારતે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સમાન એડવાઈઝરી જારી કર્યા બાદ અને ગયા સપ્તાહના અંતમાં વિઝા સેવાઓ અટકાવ્યા બાદ આ નિર્ણય આવ્યો છે. ભારતે તેના નાગરિકોને કેનેડામાં સાવચેત રહેવા અને દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ પણ આપી હતી.

વઘુ વિગત પ્રમાણે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયામાં 45 વર્ષીય ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય જાસૂસોની ‘સંભવિત’ સંડોવણી અંગેના ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો.આ બાબતે ભારતીય રાજદ્વારીની હકાલપટ્ટીના બદલામાં એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા.

સંબંધિત લેખો

Most Popular