1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય નૌસેનાને વઘુ શક્તિશાળી બનાવવા  બીજા 26 રાફેલ જેટની ખરીદી કરશે ભારત, આ માટે ફ્રાન્સને પત્ર મોકલાયો
ભારતીય નૌસેનાને વઘુ શક્તિશાળી બનાવવા  બીજા 26 રાફેલ જેટની ખરીદી કરશે ભારત, આ માટે ફ્રાન્સને પત્ર મોકલાયો

ભારતીય નૌસેનાને વઘુ શક્તિશાળી બનાવવા  બીજા 26 રાફેલ જેટની ખરીદી કરશે ભારત, આ માટે ફ્રાન્સને પત્ર મોકલાયો

0
Social Share

દિલ્હીઃ દેશની ત્રણેય સેનાઓ કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્નથી વઘુને વઘુ મજબૂત બની રહી છએ મોદી સરકાર દ્રારા સતત દેશની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે જો ભારતીય નૌસેનાની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં સેના ખૂબ તાકાતવર બની છે ત્યારે હવે ભારત નૌસેનાની તાકાતને વધુ વધારવા જઈ રહ્યું છે,

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય નૌસેનાની તાકાત વધારવા માટે સંરક્ષણ અધિગ્રહણ પરિષદની મંજૂરી પછી, ભારત સરકારે રાફેલ ફાઇટર જેટ (રાફેલ-એમ) ની 26 મરીન ખરીદવા માટે ફ્રાન્સને પત્ર લખ્યો છે.

વઘુ માહિતી પ્રમાણે થોડા દિવસ પહેલા જ ફ્રાન્સની સરકારને વિનંતી પત્ર સોંપવામાં આવ્યો છે. આમાં, ભારત સરકારે તેની તમામ જરૂરિયાતો અને ક્ષમતાઓનો ઉલ્લેખ કર્યો છે, જે તે એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય માટે ખરીદવામાં આવનાર રાફેલ એરક્રાફ્ટમાં જોવા માંગે છે. આ ડીલ પર એરક્રાફ્ટની કિંમત અને અન્ય શરતો પર વાટાઘાટો ત્યારે શરૂ કરવામાં આવશે જ્યારે સંરક્ષણ મંત્રાલયને ફ્રેન્ચ સરકાર તરફથી તેના પત્રનો જવાબ મળશે.

ઉલ્લેખનીય છે કે  જુલાઈ મહિનામાં રક્ષા મંત્રાલયે રાફેલનું નેવલ વર્ઝન ખરીદવાનો નિર્ણય લીધો હતો. ભારત જે વિમાનો ખરીદવા જઈ રહ્યું છે તેમાંથી 22 સિંગલ સીટર અને ચાર ટ્વીન સીટર છે. આ યુદ્ધ વિમાનો મુખ્યત્વે ભારતના સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તૈનાત થવાના છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code