1. Home
  2. ગુજરાતી
  3. કર્ણાટકઃ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIA એ 11 સ્થળો ઉપર દરોડા પાડ્યાં
કર્ણાટકઃ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIA એ 11 સ્થળો ઉપર દરોડા પાડ્યાં

કર્ણાટકઃ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIA એ 11 સ્થળો ઉપર દરોડા પાડ્યાં

0
Social Share

બેંગ્લોરઃ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મંગળવારે બેંગ્લોર અને કોઈમ્બતુર સહિત લગભગ 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAએ કુમારસ્વામી લેઆઉટ અને બનાશંકરીમાં દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ કોઈમ્બતુરમાં જાફર ઈકબાલ અને નયન સાદિક નામના ડોક્ટરોના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હોવાનું જાણવા મળે છે. આ કેસમાં બ્લાસ્ટ કરનાર બે આરોપીઓની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેની પૂછપરછ કરતાં વધુ અનેક નામો સામે આવ્યા હતા.

કર્ણાટક રાજ્યના ડૉક્ટરો જાફર ઈકબાલ અને નયન સાદિક સાઈબાબા કોલોનીમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. આજે સવારે NIAના અધિકારીઓએ આ તાલીમાર્થી ડોક્ટરોના ઘરે જઈને તપાસ કરી હતી. એક કલાકની શોધખોળ બાદ અધિકારીઓ નીકળી ગયા હતા. બીજી તરફ એનઆઈએની ટીમ પણ અનંતપુર જિલ્લાના રાયદુરગામ પહોંચી હતી. અહીં રિટાયર્ડ હેડમાસ્ટર અબ્દુલના ઘરે દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન NIAના અધિકારીઓએ અબ્દુલના નાગુલા બાવી સ્થિત નિવાસસ્થાને સર્ચ કર્યું હતું. અબ્દુલનો પુત્ર, જે કથિત રીતે બેંગલુરુમાં રહેતો હતો અને છેલ્લા કેટલાક સમયથી જોવા મળ્યો ન હતો. NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી) અધિકારીઓ કથિત રીતે પરિવારના કનેક્શન્સ અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંભવિત સંડોવણીની તપાસ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 1 માર્ચના રોજ રામેશ્વરમ કેફેના બ્રુકફિલ્ડ આઉટલેટમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઘણા ગ્રાહકો અને હોટલના કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ કેસમાં NIAની ટીમે કોલકાતામાંથી બે લોકોની ધરપકડ કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code