1. Home
  2. ગુજરાતી
  3. આયુષ્યમાન ભારતઃ 3 વર્ષમાં 2.20 કરોડ લોકોએ લીધો યોજનાનો લાભ
આયુષ્યમાન ભારતઃ 3 વર્ષમાં 2.20 કરોડ લોકોએ લીધો યોજનાનો લાભ

આયુષ્યમાન ભારતઃ 3 વર્ષમાં 2.20 કરોડ લોકોએ લીધો યોજનાનો લાભ

0
Social Share

દિલ્હીઃ દેશના મુખ્ય આરોગ્ય કાર્યક્રમ આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત લગભગ 2.20 કરોડ લોકોને લાભ મળ્યો છે. આ જરૂરિયાતમંદ પરિવારોને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવાવાળો વિશ્વનો સૌથી મોટો સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ છે.

આ યોજના અંતર્ગત દેશભરના દસ કરોડથી વધુ નિર્ધન પરિવારોને સવાસ્થ્યનો લાભ આપવાનો ઉદ્દેશ્ય છે.  નેશનલ હેલ્થ ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. આર.એસ. શર્માએ જણાવ્યું હતું કે આ ત્રણ વર્ષમાં આ યોજના હેઠળ ગરીબ પરિવારોને નોંધપાત્ર મદદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ, ઓડિસા અને દિલ્હી સિવાય 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ યોજના લાગુ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code