Site icon Revoi.in

સુરતમાં કરોડોના હીરા વિશ્વાસથી લઈને બારોબાર વેચી ઠગાઈ કરનારો આરોપી પકડાયો

Social Share

સુરત, 19 ફેબ્રુઆરી 2026: શહેરમાં હીરાના વેપારીઓ સાથે વિશ્વાસ સંપાદન કરીને 13.31 કરોડના હીરા ઊંચી કિમતે વેચી દેવાની લાલચ આપીને હીરા દલાલ એવા ઠગ શખસે 13.31 કરોડના હીરા બારોબાર વેચી દીધા હતા. અને જે રૂપિયા મળ્યા હતા. એનો મુંબઈ જઈને સટ્ટો રમીને હારી ગયો હતો. હીરાના વેપારીઓએ છેતરાયા હોવાની જાણ થતાં આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ કરતા પોલીસે હીરા દલાલ સાહીલ હસમુખભાઇ શાહની ધરપકડ કરી છે.

સુરતના હીરા બજારમાં વર્ષોથી ચાલતા વિશ્વાસના વહીવટનો ગેરફાયદો ઉઠાવી હીરા દલાલ સાહીલ હસમુખભાઇ શાહ (ઉંમર 43, રહે. પારલે પોઈન્ટ, સુરત) એ વેપારીઓને લલચાવ્યા હતા. તેણે વરાછા મિની બજારના વેપારીઓને એવી લાલચ આપી હતી કે કલકત્તા, હૈદરાબાદ અને મુંબઈમાં તેની મોટી પાર્ટીઓ છે. 22/04/2025 થી 16/06/2025 ના સમયગાળા દરમિયાન તેણે વેપારીઓનો વિશ્વાસ કેળવી કરોડોનો માલ પડાવી લીધો હતો. ફરિયાદી અલ્પેશભાઈ શાહની પેઢીઓમાંથી કુલ 1210.02 કેરેટના હીરા લીધા હતા, જેની કિંમત આશરે 5,86,20,000 રૂપિયા હતી. આ ઉપરાંત, વેપારી પ્રેમલભાઈ શાહ પાસેથી 1298.70 કેરેટ (કિંમત 6,50,98,790) અને ધીરુભાઈ દીયોરા પાસેથી 177.86 કેરેટ (કિંમત 95,74,520) મળી કુલ 13,32,93,310 રૂપિયાનો માલ મેળવી છેતરપિંડી આચરી હતી.

પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, સાહીલે જે પાર્ટીઓને હીરા વેચવાની વાત કરી હતી તેમને માલ આપવાને બદલે અન્ય વેપારીઓને રોકડેથી માલ વેચી દીધો હતો. આ હીરાના વેચાણમાંથી મળેલી કરોડોની માતબર રકમ આરોપી સાહીલ શાહ મુંબઈ ખાતે ક્રિકેટ સટ્ટાબેટિંગમાં હારી ગયો હોવાની કબૂલાત કરી છે.

Exit mobile version