1. Home
  2. ગુજરાતી
  3. બાલાસાહેબ ઠાકરેના નામનો રાજકીય રીતે ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરાશેઃ શિવસેના
બાલાસાહેબ ઠાકરેના નામનો રાજકીય રીતે ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરાશેઃ શિવસેના

બાલાસાહેબ ઠાકરેના નામનો રાજકીય રીતે ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરાશેઃ શિવસેના

0
Social Share

મુંબઈઃ શિવસેનાના નારાજ ધારાસભ્યોના ગ્રુપ નવી રાજકીય પાર્ટી બાલા સાહેબ ઠાકરેના નામે બનાવવાની વિચારણા કરી રહ્યાની અટકો વહેતી થઈ છે. દરમિયાન શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉદે બળવાખોર ધારાસભ્યો ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, અમે બાલા સાહેબની હિન્દુત્વની વિચારધારા ઉપર ચાલી રહ્યાં છીએ, જો કોઈ રાજકીય ઈરાદો પાર પાડવા બાલા સાહેબના નામનો ઉપયોગ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં શિવેસનાના નેતાઓની બેઠક મળી હતી. જેમાં હાલની પરિસ્થિતિ અંગે લંબાણ પૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. જે બાલ શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું કે, બેઠકમાં છ ઠરાવ કરવામાં આવ્યાં હતા. શિવસેનાના નેતા-કાર્યકરોએ ઉદ્ધવ ઠાકરે ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમના નૈતૃત્વમાં અમે તમામ ચૂંટણી લડીશું અને જીતીશું. બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, બાલા સાહેબના નામનો રાજકીય ઉપયોગ કરવામાં આવશે તો તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે.

સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, શિવસેના બાલા સાહેબની છે અને રહેશે, અમે તેમના હિન્દુત્વની વિચારધારા ઉપર ચાલી રહ્યાં છીએ અને ચાલીશું. પાર્ટી સાથે ગદ્દારી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે બળવો કરનારા 16 ધારાસભ્યોને નોટિસ મામલે પણ કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી રાજકારણ ગરમાયું છે, સીએમ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે સરકાર બચાવવાની સાથે પાર્ટી બચાવવા માટે પણ હવાતિયા મારી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ અને એનસીપીમાં પણ બેઠકનો દોર ચાલી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code