1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મ શાહજાદાની રિલીઝ લંબાઈ – નવી રિલીઝ ટેડ આવી સામે
અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મ શાહજાદાની રિલીઝ લંબાઈ – નવી રિલીઝ ટેડ આવી સામે

અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મ શાહજાદાની રિલીઝ લંબાઈ – નવી રિલીઝ ટેડ આવી સામે

0
Social Share
  •  કાર્તિક આર્યનની ફિલ્મ શાહજાદાની રિલીઝ લંબાઈ
  • નવી રિલીઝ ટેડ આવી સામે
  • દર્શકોએ કરવો પડશે વધુ ઈન્તઝાર

મુંબઈઃ ભૂલ ભૂલૈયા 2 રિલીઝ થયા બાદ અભિનેતા કાર્તિક આર્યન ખૂબ ચર્ચામાં છે,આ ફઇલ્મની સફળતાથી કાર્તિકને જબરદસ્ત ફાયદો મળી રહ્યો છે,ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા છે ત્યારે તેની અપકમિંગ ફિલ્મ શહજાદાને લઈને દર્શકો હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છએ,જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મ આ વર્ષે રિલીઝ નહી થાય ,આ પહેલા નવેમ્બરમાં આ ફિલ્મ રિલીઝ થવાની હતી,

ત્યારે હવે ફિલ્મ શહાજાદની નવી રિલીઝ ડેટ આજે જાહેર કરવામાં આવી છે.ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તરણે શાહજાદાની નવી રિલીઝ ડેટ વિશે માહિતી આપી છે.

આ ટ્વિટમાં જણાવ્યું છે કે કાર્તિક આર્યન અને કૃતિ સેનન અભિનીત શહજાદા 10 ફેબ્રુઆરી, 2023ના રોજ રીલિઝ થશે. જણાવી દઈએ કે પહેલા આ ફિલ્મ 4 નવેમ્બર 2022ના રોજ રીલિઝ થવાની હતી. ફિલ્મના દિગ્દર્શક રોહિત ધવન છે.

કાર્તિક આર્યન ફિલ્મ ‘શહેજાદા’માં પહેલીવાર ડિરેક્ટર રોહિત ધવન સાથે કામ કરતો જોવા મળશે. શાહજાદા અલ્લુ અર્જુનની ફિલ્મ આલા વૈકુંઠપુરમ્લોની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે કૃતિ સેનન મહત્વના રોલમાં જોવા મળશે. આ સાથે પરેશ રાવલ અને રોનિત રોય પણ જોવા મળશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code