1. Home
  2. ગુજરાતી
  3. CM બન્યા બાદ મરિયમે પિતા નવાઝ શરીફના ચરણસ્પર્શ કર્યા, પાકિસ્તાનમાં મજહબના નામે શરૂ થઈ બબાલ!
CM બન્યા બાદ મરિયમે પિતા નવાઝ શરીફના ચરણસ્પર્શ કર્યા, પાકિસ્તાનમાં મજહબના નામે શરૂ થઈ બબાલ!

CM બન્યા બાદ મરિયમે પિતા નવાઝ શરીફના ચરણસ્પર્શ કર્યા, પાકિસ્તાનમાં મજહબના નામે શરૂ થઈ બબાલ!

0
Social Share

લાહોર: પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં પહેલીવાર મુખ્યમંત્રી બનેલા મરિયમ નવાઝના એક વીડિયોના વાયરલ થયા બાદ બબાલ શરૂ થઈ છે. આ વીડિયો પર પાકિસ્તાનની કટ્ટરપંથી જમાતે તેમને તેમના ધર્મને લઈને સવાલ પણ પુછયો છે.

મરિયમ નવાઝનો એક વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોવા મળે છે કે મરિયમ નવાઝ પિતા નવાઝ શરીફના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ, આ વીડિયો એ સમયનો છે કે જ્યારે મરિયમ નવાઝે પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી પદની ચૂંટણી જીતી અને તેઓ પિતા નવાઝને મળવા માટે પહોંચ્યા હતા.

મરિયમ નવાઝનો આ વીડિયો 26 ફેબ્રુઆરીનો છે. જેને પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પોતાના સોશયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યો છે અને સવાલ કર્યો છે કે આ પરંપરા ક્યાં ધર્મમાં છે?

આ વીડિયોમાં જોઈ શકાય છે કે મરિયમ નવાઝ નીચે વળીને પિતા નવાઝ શરીફના ચરણસ્પર્શ કરે છે અને નવાઝ શરીફ પણ પોતાની પુત્રીની પીઠ થપથપાવીને તેમને આશિર્વાદ આપી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે ઈસ્લામમાં ચરણસ્પર્શ કરવાની મનાહી છે અને તેથી પાકિસ્તાનમાં બબાલ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનના એક અન્ય પત્રકાર આરજૂ કાઝમીએ લખ્યું છે કે આને તમીજ કહે છે. જ્યારે અદિલા નામની એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે જ્યારે પોતાની આખી જિંદગી બોલીવુડની ફિલ્મો જોવે છે, તો આવા અવસરે આખી ફિલ્મનો સીન સામે આવી જાય છે.

તો એક અન્ય યૂઝર અરશદ ખાન ટનોલીએ કહ્યુ છે કે આને સમ્માન કરનારો ધર્મ કહે છે. જ્યારે નવાઝ શરીફ ?

મરિયમ નવાઝ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી બન્યા છે

મરિયમ નવાઝનો જન્મ 1973માં પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તેઓ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રી છે.

2012માં તેમણે પાકિસ્તાનની રાજનીતિમાં પગ મૂક્યો અને પાર્ટી અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ મરિયમે 2013માં પાકિસ્તાનની ચૂંટણીઓમાં પીએમએલ-એનને જીત અપાવી હતી.

તે વર્ષે તેમને વડાપ્રધાન યુવા કાર્યક્રમના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. તેના પછી તેમણે 2014માં રાજીનામું આપ્યું.

2017માં પનામા પેપર્સ ગોટાળામાં ખુલાસા બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મરિયમ નવાઝને સાર્વજનિક પદ સંભાળવા માટે અયોગ્ય જાહેર કર્યા હતા. કોર્ટે ચુકાદો આપ્યો કે મરિયમ મની લોન્ડ્રિંગમાં સામેલ હતા. જો કે પીએમએલ-ડએનએ તેમની વિરુદ્ધ આરોપોથી ઈન્કાર કર્યો અને કહ્યુ કે તેઓ નિર્દોષ છે.

2017માં દુનિયાભરમાં પ્રભાવશાળી મહિલાઓની ઓળખ આપીને મરિયમને બીબીસીની 100 મહિલાઓની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2017માં તેમને ન્યૂયોર્ક ટાઈમ્સની વર્ષ 2017ની દુનિયાભરની 11 શક્તિશાળી મહિલાઓની યાદીામં પણ સામેલ કરવામાં આવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code