1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ક્ષત્રિયઓને મનાવવામાં પ્રદેશ નેતાઓ નિષ્ફળ જતા હવે અમિત શાહ ભાજપના ક્ષત્રિય નેતાઓને મળશે
ક્ષત્રિયઓને મનાવવામાં પ્રદેશ નેતાઓ નિષ્ફળ જતા હવે અમિત શાહ ભાજપના ક્ષત્રિય નેતાઓને મળશે

ક્ષત્રિયઓને મનાવવામાં પ્રદેશ નેતાઓ નિષ્ફળ જતા હવે અમિત શાહ ભાજપના ક્ષત્રિય નેતાઓને મળશે

0
Social Share

અમદાવાદ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે નારાજ બનેલા ક્ષત્રિય સમાજના આગેવાનો મનાવવા માટે ભાજપએ એડીચાટીનું જોર લગાવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજપુત સમાજની કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી હોવાની ચર્ચા જાગી હતી, પરંતુ કહેવાય છે. કે, રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો મંત્રણા કરવાના મુડમાં નથી. ત્યારે હવે ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ બાજી સંભાળી લેશે. અને ગમેતેમ કરીને ક્ષત્રિય આગેવાનોને મનાવી લેશે, એવું માનવામાં આવી રહ્યું છે. અમિત શાહ ભાજપના ક્ષત્રિય આગેવાનો મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ક્ષત્રિય સમાજના મહાસંમેલન બાદ ક્ષત્રિયો હવે આરપારની લડાઇના મૂડમાં છે, ત્યારે બીજી તરફ ભાજપ માટે ક્ષત્રિયોની આ નારાજગી મુશ્કેલી સર્જી શકે છે. તેવામાં આગામી 19 તારીખે અમિત શાહ ગુજરાતમાં પોતાની લોકસભા બેઠક ગાંધીનગર માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. તે પહેલા અમિત શાહ ભાજપના ક્ષત્રિય આગેવાનોને મળશે. તેમજ આ મુદ્દે ઉકેલ માટે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક પણ કરી શકે છે.

પરશોત્તમ રૂપાલાના એક નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને કોઇપણ ભોગે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ પર અડગ છે. એવો જ રણ ટંકાર ક્ષત્રિય સમાજ રાજકોટના મહાસંમેલનમાં કરી ચૂક્યો છે. એટલું જ નહીં, અમદાવાદના જીએમડીસીમાં પણ સંમેલન યોજવાનું આહવાન ક્ષત્રિય સમાજના આગેવાનો કહી ચૂક્યા છે. જો રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો આ આંદોલન આખા દેશમાં લઇ જવા અને તેની અસર અલગ અલગ રાજ્યમાં પાડવાની ચીમકી આપી છે. તેવામાં ભાજપ કોઈપણ રીતે આ આંદોલન સમાપ્ત થાય તેવું ઈચ્છી રહ્યો છે. તેવામાં લોકસભાની ચૂંટણીને લઈને અમિત શાહની હવે ગુજરાતમાં એન્ટ્રી થવાની છે. આગામી 19 તારીખે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવાના છે તે પહેલાં 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી તમામ વિધાનસભામાં રોડ શો કરશે ત્યાર બાદ સભા પણ સંબોધવાના છે. તે પહેલાં ગુજરાતમાં અમિત શાહની એન્ટ્રી સાથે જ તેઓ ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલન અંગે ચર્ચા કરશે. જે માટે તેઓ ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ મળશે. આ મામલે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બંધબારણે બેઠક પણ થઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code