વર્લ્ડ કપ બાદ હવે ભારતની ટક્કર ન્યૂઝીલેન્ડ સાથે થશે,જાણો ક્યારે અને ક્યાં થશે તમામ મેચો
મુંબઈ:ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં ભારતની નિરાશાજનક હારને કારણે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું.હવે ભારતીય ટીમ વર્લ્ડકપની હાર ભૂલીને ન્યૂઝીલેન્ડનો સામનો કરવા માટે તૈયાર છે.રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ જશે જ્યાં ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમાશે.
હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ટી-20 સિરીઝ માટે કેપ્ટનશીપ આપવામાં આવી છે જ્યારે રિષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપમાં દિનેશ કાર્તિકને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. તે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચ દરમિયાન પણ ઈજાગ્રસ્ત થયો હતો.
જાણો ક્યારે અને ક્યાં તમામ મેચો યોજાશે
જાણો ક્યારે અને ક્યાં તમામ મેચો યોજાશે –
18 નવેમ્બર, શુક્રવાર – 1લી T20I, વેલિંગ્ટન
20 નવેમ્બર, રવિવાર – બીજી T20, માઉન્ટ મૌંગાનુઇ
22 નવેમ્બર, મંગળવાર – ત્રીજી T20I, ઓકલેન્ડ
25 નવેમ્બર, શુક્રવાર – 1લી ODI, ઓકલેન્ડ
27 નવેમ્બર, રવિવાર – બીજી ODI, હેમિલ્ટન
30 નવેમ્બર, બુધવાર – ત્રીજી ODI, ક્રાઈસ્ટચર્ચ
ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (WK), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કે. યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.
વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ શિખર ધવન (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (WK), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુવજેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.