1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ માર્કા વિનાના રમકડાંનું વેચાણ કરતી દુકાનમાં ભારતીય માનક બ્યુરોના દરોડા
અમદાવાદઃ માર્કા વિનાના રમકડાંનું વેચાણ કરતી દુકાનમાં ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ માર્કા વિનાના રમકડાંનું વેચાણ કરતી દુકાનમાં ભારતીય માનક બ્યુરોના દરોડા

0
Social Share

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ આઈએસઆઈ માર્ક વિનાના રમકડાં વેચવાની માહિતીના આધાર પર અમદાવાદમાં એક દુકાનમાં છાપો માર્યો હતો. દરમિયાન માર્કા વિનાના 300થી વધારે રમકડાં મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ અંગે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં એક મોલમાં ત્રીજા માળે રમકડાંની દુકાન આવેલી છે. આ દુકાનમાં માર્કા વિનાના રમકડાંનું વેચાણ થતું હોવાની ભારતીય માનક બ્યુરોને બાતમી મળી હતી. આ બાતમીના આધારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન વેપારી પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વિનાના 304 રમકડાં જપ્ત કરવામાં આવ્યા.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી 2020ના ઓર્ડર નંબર S.O.853(E) અને 15 સપ્ટેમ્બરના સુધારા મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈએસઆઈ માર્ક વિનાના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં અને માત્ર એવા ઉત્પાદકોને જ આઈએસઆઈ માર્ક લાગુ કરવાની મંજૂરી છે કે જેમની પાસે ભારતીય માનક બ્યુરોનું માન્ય લાયસન્સ છે.

બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ઉત્પાદકો દ્વારા આઈએસઆઈ માર્ક લગાવવું અથવા આઈએસઆઈ માર્ક વિનાના રમકડાં વેચવા અને સંગ્રહ કરવા એ સજાપાત્ર ગુનો છે. આવું કરનારનાં વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2000000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. કેટલાક ઉત્પાદકો/વેપારીઓ જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના માન્ય લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન/વેચાણ કરતા હોય છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલ ગુણવત્તા નિયંત્રણ આદેશોનું ઉલ્લંઘન પણ સજાપાત્ર ગુનો છે. ભારતીય માનક બ્યુરો સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી સામાન્ય જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code