અમદાવાદઃ શહેરમાં સામાજિક સંસ્થાઓ દ્વારા ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સોલા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોકલીયાર ઈમ્પ્લાન્ટ કરાયેલા 100 જેટલા બાળકોને સાથે રાખીને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. એક તરુણીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફક્ત નાના ભૂલકાઓ જ નહીં પરંતુ, અન્ય કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવેલા લોકો પણ હાજર રહ્યા હતા. આ નાના ભૂલકાઓ દ્વારા ફૅશન શો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મેડિકલ ઓસોસિએશન દ્વારા 75માં ગણતંત્ર દિન નિમિત્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોકલીયાર ઈમ્પ્લાન્ટ કરાયેલા 100 જેટલા બાળકોને સાથે રાખીને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવેલી એક તરુણીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફક્ત નાના ભૂલકાઓ જ નહીં પરંતુ, અન્ય કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવેલા આ લોકો પણ હાજર રહ્યા હતા. ધ્વજવંદનના કાર્યક્રમ બાદ નાના ભૂલકાઓ દ્વારા ફૅશન શો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદની સિવિલમાં કાન-નાક ગળાના તબીબ ડો. નીના ભાલોડિયા અને અમદાવાદ મેડિકલ અસોસિએશનના પ્રમુખ ડૉ. તુષાર પટેલે આ 100 બાળકોની કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરી તેઓની શ્રવણ શક્તિ જીવંત કરી હતી. કાનથી સાંભળી ન શકતા હોય તેવા દર્દીઓની કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરીને તેઓને અવાજ સંભળાઇ શકે તે રીતે સક્ષમ કરવામાં આવે છે. કેટલાક બાળકોને જન્મથી જ સાંભળી ન શકવાની તકલીફ હોય છે, આવા બાળકોમાં કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી દ્વારા તેઓને શ્રવણ શક્તિ પરત આપી શકાય છે.