1. Home
  2. ગુજરાતી
  3. વાયુ પ્રદુષણ માનવ શરીરને પહોંચાડે છે ખતરનાક નુકશાન, જાણો તેનાથી બચવા શું કરવું
વાયુ પ્રદુષણ માનવ શરીરને પહોંચાડે છે ખતરનાક નુકશાન, જાણો તેનાથી બચવા શું કરવું

વાયુ પ્રદુષણ માનવ શરીરને પહોંચાડે છે ખતરનાક નુકશાન, જાણો તેનાથી બચવા શું કરવું

0
Social Share
  • વાયુ પ્રદુષણથી બચવા ચહેરાને કવર કરો
  • માસ્ક અથવા રુમાલ બાંધવાની આદત રાખો
  • તમારા ખોરાકમાં હેલ્ધી ખોરાકનો ઉપયોગ કરો
  • બને ત્યા સુધી દરરોજ સવારે યોગા કરો

દિવસેને દિવસે દેશની હવા પ્રદુષિત બની રહી છે, જેની અસર લોકોના સ્વાસ્થ્ય પર થાય તો નવાઈ નહી હોય, હવા પ્રદુષિત થવાના કારણે ખરાબ ઘૂમાડો શ્વાસ વડે ફેફ્સામાં પહોંચે છે જેને  લઈને ખાસી, શ્વવાસ ચઢવો અને થાક લાગવા જેવી અનેક સમસ્યાઓ સર્જાઈ છે, ત્યારે આજે આપણે વાત કરીશું આ સમસ્યામાંથી કઈ રીતે બચી શકાય, કારણ કે હવામાં પ્રદુષણ તો રહેવાનું જ છે અને સાથે આપણી દિનચર્યા પણ શરુ રહેશે તો આવી સ્થિતિમાં આપણે પ્રદુષણથી  આપણું રક્ષણ મેળવવું ખૂબ જરુરી છે.પ્રદુષણથી બચના માટે આપણે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાની જરુર છે.

ઘરની બહાર નીકળો એટલે  ફેશ કવર કરો,માસ્ક પહેરો

ઘરની બહાર નીકળતી વખતે તમારે માસ્ક ફરજિયાત પણે પહેરવું જ જોઈએ. આ તમને કોરોના વાયરસ સિવાય વાયુ પ્રદૂષણથી બચાવવામાં મદદ કરશે. આ માટે તમારે સારી ગુણવત્તાનો માસ્ક પહેરવો જોઈએ. ઉપરાંત, તમારા બાળકોને પણ માસ્ક પહેરવાનું રાખો.જેથી કરીને પ્રદુષમ વાળી હવા તમારા શરીરમાં ન પ્રવેશી શકે.

બને ત્ય સુધી ગોગલ્સ પહેરવાનું રાખો

તમારી આંખોને પમ જો પ્રદુષણથી બચાવવી હો. તો ગોગલ્સ પહેરવાનું રાખો જેનાથી બહારનો ઘૂમાડો આંખમાં નહી જા અને આંખ સુરક્ષિત રહેશે,વાયુ પ્રદૂષણ આપણા માટે ખૂબ જ ખતરનાક છે. વ્યક્તિની ત્વચા સિવાય તેની આંખો પર પણ અસર થઈ શકે છે. તેથી આંખોને પણ આ પ્રદૂષણથી બચાવવી જરૂરી છે.

કામ વગર ઘરની બહાર નિકળવું ટાળવું જોઈએ

વાયુ પ્રદૂષણ માનવ શરીર માટે ઝેર સમાન જ છે જે ઝેરી હવાને શરીરમાં પ્રવેશ આપે છે  તેનું ધ્યાન રાખો અને આ માટે બિનજરુરી ઘરની બહાર નિકળવું ટાળવું જોઈએખાસ કરીને હાલની સ્થિતિમાં દિલ્હીને જે હાલત છે તેવી સ્થિતિમાં ઘરની બહાર કામ વગર નિકળવું ન જોઈએ.. તેથી જો તમે ઈચ્છો છો કે તમે સ્વસ્થ રહો તો આ પ્રદૂષણથી દૂર રહો

યોગાસનને જીવનનો ભાગ બનાવો

યોગા કે પ્રાણાયામ એ ખૂબજ જરુરી છે તે સૌ કોઈ જાણે છે,પરંતચુ વાયુ પ્રદુષણની સ્થિતિમાં યોગાસન તમારા સ્વાસ્થ્યને મજબૂક બનાવે છે,ઘણા લોકો એવું વિચારે છે કે પ્રદૂષણને કારણે તેઓ બહાર પાર્કમાં જઈ શકતા નથી, તો પછી તેઓ કસરત પણ કરતા નથી. પરંતુ આમ કરવું ખોટું છે. ફિટ રહેવા માટે, તમે તમારા ઘરે કસરત કરી શકો છો. આનાથી બચવા માટે વ્યાયામ પણ મદદ કરી શકે છે. નાકના શ્વાસની એક્સેસાઈઝ કરવાનું રાખો,શ્વાસની જેટલી પણ કસરત છે તેના પર પુરતુ ધ્યાન આપો

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code