1. Home
  2. ગુજરાતી
  3. અખિલેશ યાદવે ભાજપ સામે નવા અભિયાનની કરી શરૂઆત, કહ્યું ભાજપનો કોઇ નેતા તમારી પાસે આવે તો…
અખિલેશ યાદવે ભાજપ સામે નવા અભિયાનની કરી શરૂઆત, કહ્યું ભાજપનો કોઇ નેતા તમારી પાસે આવે તો…

અખિલેશ યાદવે ભાજપ સામે નવા અભિયાનની કરી શરૂઆત, કહ્યું ભાજપનો કોઇ નેતા તમારી પાસે આવે તો…

0
Social Share

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક નવું અભિયાન શરૂ કર્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી છે અને ભાજપ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે કહ્યું કે જહાં દિખે ભાજપાઇ, વહાં બીછાઓ ચારપાઇ.

સપાના વડા અખિલેશ યાદવે X પર પોસ્ટ કરીને લખ્યું – “SPનું નવું અભિયાન, જહાં દિખે ભાજપાઇ,વહાં બીછાઓ ચારપાઇ ! આ અભિયાન હેઠળ, જ્યારે પણ બીજેપીનો કોઈ વ્યક્તિ અથવા તેના સહયોગી તમારી પાસે આવે, ત્યારે તેમને પ્રેમથી બેસાડો અને. તે કંઇ બોલે તે પહેલાજ તેમને પૂછજો કે ભાજપ બંધારણ કેમ બદલવા માંગે છે?
– ભાજપ શા માટે અનામત ખતમ કરવા માંગે છે?
તેમને પૂછો કે ભાજપ શા માટે મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને ટિકિટ આપે છે?

તેમણે કહ્યું કે કોઇપણ ભાજપનો નેતા તમારી પાસે આવે એટલે તેને પ્રેમથી બેસાડીને પૂછજો કે “કેમ પેપર લીક કરીને ભારતીય જનતા પાર્ટી યુવાનો પાસેથી નોકરીની તકો છીનવી રહી છે? ભાજપ નફાખોરીને પ્રોત્સાહન આપીને અને ઉદ્યોગપતિઓ પાસેથી ચૂંટણી દાન એકત્ર કરીને મોંઘવારી શા માટે વધારી રહી છે?”

આ પહેલા સપા પ્રમુખ અખિલેશ યાદવે મછલીશહરમાં ચૂંટણી સભામાં ભાજપ પર પ્રહારો કર્યા હતા. સપા વડાએ કહ્યું હતું કે “હવે કોઈ મન કી બાત સાંભળવા માંગતું નથી, બધા સંવિધાનની વાત કરવા માંગે છે, અને સંવિધાનના માર્ગ પર ચાલવા માગે છે. અખિલેશે કહ્યું કે જેઓ કહેતા હતા કે સારા દિવસો આવશે, ન તો સારા દિવસો આવ્યા અને ન કોઈના એકાઉન્ટમાં કંઈ આવ્યું પણ જ્યારે 4 જૂને સરકાર બદલાશે ત્યારે આપણા સુખના દિવસો આવશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code