Site icon Revoi.in

અમરનાથ યાત્રાઃ પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો રવાના થયો

Social Share

નવી દિલ્હીઃ આજે ગુરુવારે અમરનાથ યાત્રાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો ‘હર હર મહાદેવ’ ના જયઘોષ સાથે પવિત્ર ગુફા મંદિર તરફ રવાના થયો છે. આ યાત્રા દરમિયાન ભક્તોની સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

યાત્રાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મનીષા રામોલા નામની એક શ્રદ્ધાળુએ વ્યવસ્થાની પ્રશંસા કરતા જણાવ્યું કે, “વ્યવસ્થા ખરેખર સારી છે. યોગ્ય દસ્તાવેજો અને માન્ય ઓળખપત્ર વિના કોઈને પણ પ્રવેશવાની મંજૂરી નથી, જે આપણી સલામતી માટે છે.” તેમણે કાશ્મીર આવવાનો ઉદ્દેશ્ય પ્રવાસ નહીં પણ યાત્રા હોવાનું ભારપૂર્વક જણાવ્યું અને દેશ માટે શાંતિ તથા સૌના સ્વાસ્થ્યની કામના કરી. અન્ય એક યાત્રાળુએ આતંકવાદનો કોઈ ડર ન હોવાનું જણાવી યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

કાશ્મીરના વિભાગીય કમિશનર વિજય કુમાર બિધુરીએ આ યાત્રાને માત્ર ધાર્મિક નહીં, પરંતુ સુરક્ષા દળો, કુલીઓ, તંબુઓ અને તમામ સેવા પ્રદાતાઓના સહયોગથી ચાલતી એક વ્યાપક પ્રવૃત્તિ ગણાવી. તેમણે યાત્રાળુઓના અજોડ ઉત્સાહની નોંધ લીધી અને કાશ્મીર તેમજ દેશમાં શાંતિ તથા સમૃદ્ધિની પ્રાર્થના કરી. કવિતા સૈની નામના એક શ્રદ્ધાળુએ, જેઓ પહેલીવાર અમરનાથ યાત્રા પર આવ્યા હતા, તેમણે દિલ્હી પોલીસ અને કાશ્મીર પોલીસની મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને દેશમાં શાંતિ તથા સમૃદ્ધિ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

Exit mobile version