1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના ખતરા વચ્ચે કેરળમાં બર્ડ ફ્લૂએ મચાવ્યો હાહાકાર,6000થી વધુ પક્ષીઓના મોત
કોરોનાના ખતરા વચ્ચે કેરળમાં બર્ડ ફ્લૂએ મચાવ્યો હાહાકાર,6000થી વધુ પક્ષીઓના મોત

કોરોનાના ખતરા વચ્ચે કેરળમાં બર્ડ ફ્લૂએ મચાવ્યો હાહાકાર,6000થી વધુ પક્ષીઓના મોત

0
Social Share

તિરુવનન્તપુરમ:કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયામાં બર્ડ ફ્લૂનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન, કેરળના કોટ્ટયમ જિલ્લાની ત્રણ અલગ-અલગ પંચાયતોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. જે બાદ સરકારના આદેશથી જિલ્લામાં 6,000 થી વધુ પક્ષીઓના મોત થયા છે, જેમાં મોટાભાગના બતકનો સમાવેશ થાય છે.જિલ્લા વહીવટી તંત્રના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,જિલ્લાની વેચુર, નિનાદુર અને અરપુકારા પંચાયતોમાં શનિવારે કુલ 6,017 પક્ષીઓ માર્યા ગયા હતા, જેમાં મોટાભાગે બતક હતા.

બર્ડ ફ્લૂ, અથવા એવિયન ઈન્ફલ્યુએન્ઝા, એક અત્યંત ચેપી ઝૂનોટિક રોગ છે.માહિતી અનુસાર, કેરળમાં બર્ડ ફ્લૂના કથિત પ્રકોપને કારણે લક્ષદ્વીપ પ્રશાસને હવે મુખ્ય ભૂમિ પરથી ફ્રોઝન ચિકનના પરિવહન પર પ્રતિબંધ મૂક્યો છે.

જિલ્લા પશુચિકિત્સકોએ એક અઠવાડિયા પહેલા જણાવ્યું હતું કે,કોટ્ટાયમ જિલ્લાના બે ગામોમાં ગયા અઠવાડિયે બ્રાયલર મરઘીઓના પ્રકોપ બાદ સત્તાવાળાઓએ સેંકડો બતક અને અન્ય સ્થાનિક પક્ષીઓને મારી નાખ્યા છે. તે જ સમયે, તળાવમાં મોટી સંખ્યામાં બતક પકડાયા હતા અને તેમને નિર્ધારિત વિસ્તારમાં લઈ જવાનું કહેવામાં આવ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગાઉ અલપ્પુઝા જિલ્લાની હરિપદ નગરપાલિકામાં અનેક પક્ષીઓના મોત બાદ સરકારે મરઘી અને બતકને મારવાનો આદેશ આપ્યો હતો.મળતી માહિતી મુજબ અહીં લગભગ 20,471 પક્ષીઓના મોત થયા હતા.તે સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code