1. Home
  2. ગુજરાતી
  3. દયાબેનને લઈને TMKUCના એક કલાકારે કહી મોટી વાત
દયાબેનને લઈને TMKUCના એક કલાકારે કહી મોટી વાત

દયાબેનને લઈને TMKUCના એક કલાકારે કહી મોટી વાત

0
Social Share

મુંબઈ :તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રખ્યાત પાત્ર દયાબેનને લઈને રોજ કોઈને કોઈ નવા સમાચાર આવતા રહેતા હોય છે. કેટલાક લોકો કહે છે કે તેમણે શો હંમેશા માટે છોડી દીધો છે તો કેટલાક કહે છે કે તેઓ પરત ફરવાના છે પરંતું હવે તેમની શોમાં વાપસીને લઈને શોમાં કામ કરતા કલાકારે મહત્વની વાત કહી છે.

ટીવી સિરિયલમાં કામ કરતા મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. સાથે જ દાવો કર્યો કે દિશા વાકાણી આ શોમાં ક્યારેય પાછી નહીં ફરે. એક ઈન્ટરવ્યુમાં તે કહે છે, ‘દિશા પાછી આવવા માંગતી નથી. આ શોમાં કોઈ પરત ફરવા માંગતું નથી. મને નથી લાગતું કે આવું થશે. દિશા પાછી આવતી નથી. તે શોની લીડ હતી. તે ઘણા દિવસોથી ગુમ હતી. શું તમને નથી લાગતું કે તેઓએ તેમને પાછા લાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો હશે? પણ તે પરત આવવા માંગતી નથી.

ઉલ્લેખનીય છે કે ટીવીનો પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ દિવસોમાં ઘણો ચર્ચામાં છે. આ પહેલા રોશન ભાભી ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code