અમદાવાદઃ સૌરાષ્ટ્રના મોટા શહેરો પૈકીના જામનગરમાં પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. દરમિયાન દક્ષિણ આફ્રિકાથી વાઘ, રીંછ, ચિત્તા સહિત 84 જેટલા પ્રાણીઓ હવાઈ માર્ગે ગુજરાત લાવવામાં આવ્યાં છે. આ પ્રાણીઓને જામનગર લાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના પ્રાણીસંગ્રહાલય માટે વિદેશથી હવાઈ માર્ગે પ્રાણીઓને અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવ્યાં છે. દક્ષિણ આફ્રિકાના મોરાક્કોથી આ પ્રાણીઓને લાવવામાં આવ્યાં છે. 27 વાઘ, 10 રીંછ, 10 ચિત્તા, 10 શાહુડી, 10 જગુઆરેંડી, 10 લિંક્સ, 04 ટેમાનાડોસ, 03 ઓકેલોટ અને 10 અમેરિકન મોટી બિલાડી લાવવામાં આવી છે. આ તમામ પ્રાણીઓને રશિયન કાર્ગો વિમાન મારફતે લાવવામાં આવ્યાં છે. જામનગરમાં એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. ‘ગ્રીન્સ ઝુલોજિકલ’, ‘રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ના નામે જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે.
જામનગરનું રેસ્ક્યૂ સેન્ટર પ્રાણી સંગ્રહાલયથી અલગ છે. આ સંગ્રહાલય આમ જનતા માટે ખૂલ્લુ નહીં રહે. રેસ્ક્યૂ સેન્ટરની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. તે ઇજાગ્રસ્ત કે માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે રાજ્ય સરકારના વનવિભાગને સહાય કરવા માટે બનાવવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી વિશ્વનું સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિમર્ણિ કરવામાં આવશે.
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં પ્રાણીસંગ્રાહલય આવેલા છે. આ પ્રાણી સંગ્રહાલયમાં વિવિધ પ્રજાતિના પ્રાણી જોવા મળે છે. આ ઉપરાંત અગાઉ પણ વિદેશથી પ્રાણીઓ ગુજરાતના વિવિધ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યાં છે.