1. Home
  2. ગુજરાતી
  3. અર્થ અવર ડે -જાણો માર્ચના છેલ્લા શનિવારે સમગ્ર વિશ્વ શા માટે ઉજવે છે આ દિવસ, એક કલાક માટે લાઈટ્સ બંધ કરી ઊર્જાની કરાઈ છે બચત
અર્થ અવર ડે -જાણો માર્ચના છેલ્લા શનિવારે સમગ્ર વિશ્વ શા માટે ઉજવે છે આ દિવસ, એક કલાક માટે લાઈટ્સ બંધ કરી ઊર્જાની કરાઈ છે બચત

અર્થ અવર ડે -જાણો માર્ચના છેલ્લા શનિવારે સમગ્ર વિશ્વ શા માટે ઉજવે છે આ દિવસ, એક કલાક માટે લાઈટ્સ બંધ કરી ઊર્જાની કરાઈ છે બચત

0
Social Share
  • માર્ચ મહિનાના છેલ્લા શનિવારે અર્થ અવર ડે ઉવજાય છે
  • રાત્રે 1 કલાક માટે ઘરની લાઈટ્સ બંધ કરી ઊર્જાની બચત કરાય છે
  • પર્યાવરણીય સંરક્ષણ માટે જાગૃત કરવાના હેતુંથી ઉજવાય છે આ દિસ
  • સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વર્ષ 2007માં તેની શરુઆત થઈ

દિલ્હી – આજે, અર્થ અવર્સ ડે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવશે, એટલે કે, આ દિવસે એક કલાક માટે, વિશ્વભરના લોકો લાઇટ બંધ કરશે અને પૃથ્વીના સારા સુધારણા માટે પ્રાર્થના કરશે.ઉલ્લેખનીય છે કે, દર વર્ષે માર્ચના અંતિમ શનિવારે સમગ્ર વિશ્વના દેશઓમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે, વિશ્વના 180 થી વધુ દેશોના લોકો રાત્રીના 8.30 વાગ્યાથી લઈને 9.30 વાગ્યા સુધી એક કલાક સુધી પોતાના  ઘરની લાઈટો બંધ કરીને ઊર્જાની બચત કરે છે.

અર્થ અવર ડે- ની શરુઆત ક્યારે થઈ જાણો

અર્થ અવર ડેની શરુઆત વાઇલ્ડલાઇફ એન્ડ એન્વાયર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા વર્ષ 2007 માં કરવામાં આવી હતી. અર્થ માર્ક દિવસ 31 માર્ચ 2007 ના રોજ પ્રથમ વખત આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કરાઈ હતી, તે સમયે લોકોને 60 મિનિટ સુધી લાઇટ બંધ કરવા કહેવામાં આવ્યું હતું અને ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવવામાં આવતો ગયો.

આ દિવસ ઉજવવાનો ખાસ ઉદ્દેશ્ય જાણો

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઊર્જા બચત માટે પ્રેરણા આપવાનો  અને પર્યાવરણીય સંરક્ષણ માટે જાગૃત કરવાનો હતો. વર્લ્ડ વાઇડ ફંડનો મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિને થતા નુકસાનને રોકવા અને માનવીના ભવિષ્યમાં સુધારણા કરીને વધુ શ્રેષ્ઠ બનાવવાનો છે.

જાણો ભારતમાં આ દિવસ ઉજવવાની શરુઆત ક્યારે થઈ

અર્થ અવર ડે પર લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ તેમના ઘર અને ઓફિસો પર બિન-આવશ્યક લાઇટ અને ઇલેક્ટ્રિક ઉપકરણોને ફક્ત એક કલાક માટે બંધ રાખે. તેની શરૂઆત ભારતમાં વર્ષ 2009 માં થઈ હતી. જેમાં 58 શહેરોમાં 5 મિલિયન લોકોએ ભાગ લીધો હતો. આ પછી, વર્ષ 2010 માં આ ઝુંબેશમાં 128 શહેરોમાંથી 70 લાખ લોકોએ ભાગ લીધો હતો.આ દિવસની ઉજવણીમાં વર્ષ 2018 માં દિલ્હીની જનતાએ સૌથી વધુ 305 મેગાવોટ વીજળી બચાવી હતી. તે જ સમયે, વર્ષ 2020 માં 79 મેગાવોટ વીજળીની બચત થઈ.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code