1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાદરવી પૂનમનો મેળોઃ અંબાજીમાં 3 દિવસમાં 8.54 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં
ભાદરવી પૂનમનો મેળોઃ અંબાજીમાં 3 દિવસમાં 8.54 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

ભાદરવી પૂનમનો મેળોઃ અંબાજીમાં 3 દિવસમાં 8.54 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

0
Social Share

અમદાવાદ : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવી રહ્યાં છે. એટલું જ નહીં અંબાજી તરફના માર્ગો જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યાં છે. બનાસકાંઠામાં મા અંબાનાં ધામે ભક્‍તોનો અવિરત પ્રવાહ ચાલુ છે. ત્‍યારે અંબાજીમાં ત્રીજા દિવસે 2.56 લાખથી વધુ શ્રદ્વાળુઓએ દર્શન કર્યા છે. ત્રણ દિવસમાં 8.54 લાખ ભક્‍તોએ દર્શન કર્યા છે. ત્રીજા દિવસે 2.22 લાખ પ્રસાદ પેકેટનું વિતરણ થયું છે. તેમજ 3 દિવસમાં 8.49 લાખ પ્રસાદ પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું છે. એટલે કે, 3 દિવસમાં 59.52 લાખ ભેટ અને પ્રસાદની આવક નોંધાઇ છે.

કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાતાં લાખો માંઈ ભક્‍તો જાણે તમામ ખોટ પૂરી કરવા માગતા હોય તે રીતે અંબાજીમાં હર્ષ અને આસ્‍થાનો માહોલ જામ્‍યો છે. પૂનમના મહામેળાના ત્રીજા દિવસે ભક્‍તોનું ઘોડાપૂર અંબાજી તરફ અવિરત આગળ વધી રહ્યું છે. જય અંબે જય અંબેની ગૂંજ સાથે અરવલ્લીની ગિરિમાળાઓ ગૂંજી ઊઠી છે.

અંબાજીમાં પગપાળા આવી રહેલા માઈ ભક્તોને જમવા સહિતની સેવા પુરી પાડવા માટે અંબાજી તરફના માર્ગો ઉપર વિવિધ સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાત શ્રદ્ધાળુઓના પરિવહન માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો પણ દોડાવવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code