1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ ક્વિન કંગના રનૌતે ફરી એક વખત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પર નીકાળી ભળાશ-ફિલ્મ ‘થલાઈવી’ના વખાણ ન કરતા કહ્યું કંઈ આવું
બોલિવૂડ ક્વિન કંગના રનૌતે ફરી એક વખત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પર નીકાળી ભળાશ-ફિલ્મ ‘થલાઈવી’ના વખાણ ન કરતા કહ્યું કંઈ આવું

બોલિવૂડ ક્વિન કંગના રનૌતે ફરી એક વખત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પર નીકાળી ભળાશ-ફિલ્મ ‘થલાઈવી’ના વખાણ ન કરતા કહ્યું કંઈ આવું

0
Social Share
  • કંગનાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝ પર નિકાળી ભળાશ
  • પોતાની ફિલ્મ થલાઈવીના વખાણ ન કરતા લોકોને આડે હાથ લીધા

મુંબઈઃ- બોલિવૂડની ક્વિન તરીકે જાણીતી અભિનેત્રી કંગના રનૌત હંમેશા સોશિયલ મીડિયા પર સતતએક્ટિવ રહે છે અને તેના નિવેદનને લઈને તે વિવાદ અથવા તો ચર્ચાનો વિષય પણ બનતી રહે છે, એક્ટ્રેસ કંગના તાજેતરમાં ફિલ્મ ‘થલાઇવી’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણીએ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.જયલલિતાની ભૂમિકા શાનદાર રીતે ભજવી હતી.

આ ફિલ્મ પહેલા 23 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે તે 10 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવી હતી. લોકોને ફિલ્મની વાર્તા ગમી અને સાથે સાથે કંગનાના અભિનયની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

આ સાથે જ કંગનાએ તેની ફિલ્મ ઓટીટી પર પણ પ્રસારિત થવા બદલ દરેકનો લોકોનો આભાર માન્યો. જો કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝે  તેની ફિલ્મ પર કોઈજ પ્રકારની પ્રતિક્રિયા ન આપવા બદલ કટાક્ષ કર્યો છે.સૌથી પહેલા, કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘બહુ ઓછી ફિલ્મો છે જેને આટલો પ્રેમ અને આદર મળે છે..થલાવી એક એવી ફિલ્મ છે. મને ખુશી છે કે આ ફિલ્મ દ્વારા લોકો થલાઇવી જય જયલિતા વિશે વધુ જાણી શકે છે હું મારી ટીમનો આભાર માનું છું જેમણે ફિલ્મ જગતને આવી અદભૂત ફિલ્મ આપી.

જાણો કંગનાએ શું કહ્યું બોલિવૂડને

આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ છે અને સાથે જ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પણ રિલીઝ થઈ છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો આ ફિલ્મ જોઈ રહ્યા છે. જોકે, કંગના નારાજ છે કે બોલિવૂડના લોકોએ તેની પ્રસંશા પણ નથી કરી અને  આમ તો કંગના હંમેશા બોલિવૂડના લોકોને આડે હાથ લેતી સોશિયલ મીડિયા પર જોવા મળતી જ હોય છે,ત્યારે હવે  તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેણીએ લખ્યું, ‘તે જ સમયે હું બોલિવૂડ માફિયાઓ અમારા રાજકીય વિચારોને બાજુ પર રાખવાની રાહ જોઈ રહી  છું, જેમ કે હું કોઈ પણ કામની પ્રશંસા કરવાથી શરમાતી નથી, તેવી જ રીતે તેઓ પણ માનવીય લાગણીઓથી ઉપર ઉઠે છે અને હારની કલાને જીતવા દે છે.’

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code