1. Home
  2. ગુજરાતી
  3. બાબરી મસ્જિદને લઈને પણ આવો કાર્યક્રમ હોત તો બીએસપીનો વાંધો નથી : માયાવતી
બાબરી મસ્જિદને લઈને પણ આવો કાર્યક્રમ હોત તો બીએસપીનો વાંધો નથી : માયાવતી

બાબરી મસ્જિદને લઈને પણ આવો કાર્યક્રમ હોત તો બીએસપીનો વાંધો નથી : માયાવતી

0
Social Share

લખનૌ: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તેવામાં બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ કહ્યું છે કે મને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું છે. પરંતુ ભવિષ્યમાં બાબરી મસ્જિદને લઈને થનારા કોઈપણ કાર્યક્રમને લઈને અમારી પાર્ટીને વાંધો નથી.

માયાવતીએ કહ્યું છે કે અમારી પાર્ટી ધર્મનિરપેક્ષ પાર્ટી છે. અમારી પાર્ટી તમામ ધર્મોનું સમાન સમ્માન કરે છે. ચાહે હિંદુઓનો મામલો હોય, શીખોનો હોય, બૌદ્ધોનો અથવા અન્ય ધર્ના લોકોનો હોય. અમે તેમના આવા કોઈપણ કાર્યક્રમમાં સામેલ થઈશું.

બીએસપી પ્રમુખ માયાવતીએ કહ્યુ છે કે અમારી પાર્ટીએ કોઈપણ ધર્મનો ક્યારેય પણ વિરોધ કર્યો નથી. હું ઘણીવાર કહી ચુકી છું અને ફરી એકવાર કહું છું કે બીએસપી દેશની એકમાત્ર એવી પાર્ટી છે, જે ધર્મનિરપેક્ષ છે. અમે તમામ ધર્મોનું સમ્માન કરીએ છીએ.

માયાવતીએ કહ્યું છે કે મને 22 જાન્યુઆરીએ થનારા ક્રાર્યક્રમને લઈને નિમંત્રણ મળ્યું છે અને અમે તેનું સ્વાગત કરી છીએ. પરંતુ તેની સથે જ હું એ પણ કહેવા માંગુ ચું કે અન્ય કાર્યક્રમોને લઈને હાલમાં હું વ્યસ્ત છું. 22 જાન્યુઆરીને હજી ઘણો સમય પણ બચેલો છે. તેવામાં હાલ અમે તેને લઈને કોઈ નિર્ણય કર્યો નથી. પરંતુ આના સંદર્ભે અમારી પાર્ટી જે પણ નિર્ણય કરશે, સમય આવવા પર તમને તેનાથી વાકેફ કરાવી દેવામાં આવશે.

આના પહેલા માયાવતીએ એલાન કર્યું હતું કે બીએસપી આગામી લોકસભા ચૂંટણી એકલા જ લડશે. વિપક્ષી ગઠબંધનનો ઉલ્લેખ કરતા માયાવતીએ કહ્યું છે કે ગઠબંધન કરવાથી પાર્ટીને ફાયદો ઓછો, નુકશાન વધુ થાય છે અને અમારા વોટ પ્રતિશત પણ ઘટી જાય છે, જ્યારે અન્ય પક્ષોને ફાયદો પહોંચે છે. માટે મોટાભાગની પાર્ટી બીએસપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા માંગે છે.

તેમણે કહ્યું છે કે અમારી પાર્ટી એકલા હાથે જ લોકસભા ચૂંટણી લડીને સારું પરિણામ લાવશે. અમે માટે ચૂંટણી એકલા લડીએ છીએ, કારણ કે અમારું સર્વોચ્ચ નેતૃત્વ એક દલિતના હાથમાં છે. ગઠબંધન કરીને બીએસપીના પુરાં વોટ ગઠબંધનની પાર્ટીને પહોંચી જાય છે, જ્યારે તેમના વોટ વિશેષ કરીને અપર કાસ્ટના વોટ બીએસપીને મળતા નથી.

માયાવતીએ કેન્દ્રને નિશાને લેતા કહ્યું છે કે આજકાલ સરકારો નામ બદલીને ઘોષણાઓ કરવા લાગી છે, જેની હકીકત સાથે કોઈ લેવાદેવા નથી. ભાજપ કોંગ્રેસની માનસિકતા જાતિવાદી છે. ભાજપનું નામ લીધા વગર તેમણે કહ્યુ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધર્મ અને સંસ્કૃતિની આગમાં રાજનીતિ કરાય રહી છે, જેનાથી લોકશાહી નબળી થઈ રહી છે.

માયાવતીએ કહ્યું છે કે અમે યુપીમાં પોતાની ચાર વખત બનાવેલી સરકારમાં તમામ વર્ગો માટે કામ કર્યું, તેમાં લઘુમતી, ગરીબ, મુસ્લિમ, ખેડૂત અને અન્ય શ્રમિક લોકો માટે જનકલ્યાણકારી યોજનાઓ શરૂ કરી હતી. સરકારો નામ અને સ્વરૂપ બદલીને પોતાના બનાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જાતિવાદી થવાના કારણે આ કામ થઈ રહ્યું નથી. રોજગારને સાધવાના સ્થાને ફ્રીમાં થોડુંક રાશન આપીને પોતાના મોહતાજ બનાવી રહ્યા છે. જ્યારે અમારી પોતાની સરકાર દરમિયાન હાલની સરકારોની જેમ પોતાના મોહતાજ બનાવ્યા નથી. પરંતુ સરકારી અને બિનસરકારી ક્ષેત્રોમાં રોજગારના સાધન આપ્યા છે.

બીએસપી પ્રમુખે કહ્યુ છે કે બહુજન સમાજના લોકો અને લઘુમતીઓને કહેવા માંગીશ કે પોતાના રોજગાર અને માનસમ્માન માટે, આગળ આવનારી પેઢીઓ માટે, પોતાના સંતો ગુરુઓ અને મહાપુરુષો, આંબેડકરના માર્ગ પર ચાલીને બીએસપીને મજબૂત બનાવવાનું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code