1. Home
  2. ગુજરાતી
  3. સુરતના કેટલાક વિસ્તારોમાં બસ સેવા બંધ કરાઈ, કોર્પોરેશનનો નિર્ણય
સુરતના કેટલાક વિસ્તારોમાં બસ સેવા બંધ કરાઈ, કોર્પોરેશનનો નિર્ણય

સુરતના કેટલાક વિસ્તારોમાં બસ સેવા બંધ કરાઈ, કોર્પોરેશનનો નિર્ણય

0
Social Share

અમદાવાદઃ સુરતમાં કોરોનાના સંક્રમણને પગલે મનપા તંત્ર એકશનમાં આવ્યું છે. તેમજ કોરોનાને પગલે સુરત શહેરમાં બસ સેવાને અસર પડી છે. શહેરના જે વિસ્તારમાં કોરોનાના વધારે કેસ છે ત્યાં સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા દોડાવવામાં નહીં આવે. આ ઉપરાંત અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુને લઈને 10 કલાક પહેલા ખાનગી ટ્રાવેલ્સની બસો શહેર છોડી દેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કોરોના કેસમાં વધારો થતા મનપા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ કેસ આવતા વિસ્તારમાં સિટી બસ બંધ કરાઈ છે. સુરત શહેરમાં કોરોના કેસમાં વધારો થતા મનપા દ્વારા સિટી બસ અને BRTS બસ બંધ કરવામાં આવ્કયા છે. અઠવા, રાંદેર, લીબાયત ઝોનમાં સિટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને લઈને ફરી એકવાર ખાનગી હોસ્પિટલોમાં કોવિડ બેડ શરુ કરવામાં આવ્યા છે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે તેમજ સમયમાં પણ બે કલાકનો વધારો કરવામાં આવ્યો છે. ચારેય મહાનગરોમાં રાતના 10થી સવારના 6 કલાક સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. જેથી એસટી નિગમ દ્વારા રાતના 10 કલાક પછી આ શહેરોમાં બસ નહીં દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો પણ રાતના 10 કલાક રહેતા પ્રવાસીઓને લઈને આ શહેરમાંથી બસ રવાના કરશે. એટલે બહારગામ જવા માંગતી વ્યક્તિ રાતના ચારેય શહેરમાં રાતના મુસાફરી નહીં કરી શકે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code