1. Home
  2. ગુજરાતી
  3. આજથી 6 દિવસ સુધી IT રિટર્નની વેબસાઇટ રહેશે બંધ, નહીં ભરી શકાય રિટર્ન
આજથી 6 દિવસ સુધી IT રિટર્નની વેબસાઇટ રહેશે બંધ, નહીં ભરી શકાય રિટર્ન

આજથી 6 દિવસ સુધી IT રિટર્નની વેબસાઇટ રહેશે બંધ, નહીં ભરી શકાય રિટર્ન

0
Social Share
  • કરદાતાઓ માટે મહત્વના સમાચાર
  • 1 થી 6 જૂન દરમિયાન આવકવેરા વિભાગની વેબસાઇટ બંધ રહેશે
  • આવકવેરા વિભાગ 7 જૂનના રોજ રિટર્ન ફાઇલ કરવા માટે નવી વેબસાઇટ લોન્ચ કરશે

નવી દિલ્હી: કરદાતાઓ માટે મહત્વના સમાચાર છે. જે લોકો 1 થી 6 જૂન દરમિયાન આવકવેરો ભરવા માંગતા હશે તે આ 6 દિવસ દરમિયાન આવકવેરો નહીં ભરે શકે. કારણ કે, આવકવેરા વિભાગની વેબસાઇટ 1 થી 6 જૂન સુધી બંધ રહેશે. આવકવેરા વિભાગ 7 જૂનના રોજ રિટર્ન ફાઇલ કરવા માટે નવી વેબસાઇટ લોન્ચ કરશે. કેટલાક ટેકનિકલ ફેરફાર સાથે રિટર્ન ફાઇલ કરવા માટેની નવી વેબસાઇટ લૉન્ચ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, આ નવી વેબસાઇટ કરદાતાઓ માટે વધુ સુવિધાથી સજ્જ હશે. જે 7 જૂન, 2021થી સક્રિય થઇ જશે. તેમાં અનેક નવા ફીચર્સ જોડવામાં આવ્યા છે. જૂનું પોર્ટલ આવકવેરા વિભાગના અધિકારીઓ માટે પણ બંધ રહેશે. નવું પોર્ટલ ચાલુ થયાના 3 દિવસ બાદ એટલે કે 10 જૂનથી તેઓ આવકવેરા કેસની સુનાવણી કરી શકશે.

વિભાગે જણાવ્યું કે, નવા પોર્ટલ પર કરદાતાઓને પહેલેથી ભરેલા રિટર્ન ફોર્મ મળશે. સાથે જ કર અધિકારીઓ તેના દ્વારા નોટિસ અને સમન મોકલવા સાથે કરદાતાઓના સવાલના જવાબ પણ આપી શકશે. નાણાં મંત્રાલયે 2020-21 માટે રિટર્ન ફાઈલ કરવાની અવધિ લંબાવીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code